વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરથી ડેમુ ટ્રેન સેવા શરૂ થઈ
ટ્રેન
ગુજરાતમાં ગઈ કાલથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરથી સેવા સર્વિસ ડેમુ પૅસેન્જર ટ્રેન શરૂ થઈ છે. અઠવાડિયામાં છ દિવસ ચાલનારી આ ટ્રેન શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારના હજારો નાગરિકોને અવજ જવર માટે રેલ સેવાનો લાભ મળશે. વડનગરથી ટ્રેન સેવા ફરી શરૂ થતા સ્ટેશન પર નાગરિકો ઊમટી પડ્યા હતા.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં વડનગર – મહેસાણા તથા અસારવા – હિંમતનગર વચ્ચે રેલ ટ્રૅકનું ગૅજ પરિવર્તન કાર્ય પૂરું થયા બાદ ગઈ કાલથી મુસાફરો માટે ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી છે. નવી દિલ્હીથી રેલપ્રધાન પીયૂષ ગોયલે આ બન્ને સેવા સર્વિસ ડેમુ પૅસેન્જર ટ્રેનોને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે.રવિવારે બંધ રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દરિયાકાંઠાને પજવતા પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત હવે હાથવેંતમાં
વડનગર–મહેસાણા વચ્ચેની શરૂ થયેલી આ ટ્રેન વડનગરથી ઊપડીને ગુંજા, વિસનગર, પુડગામ ગણેશપુરા, રંડાલા થઈને મહેસાણા પહોંચશે. જયારે અસારવાથી ટ્રેન ઊપડીને સૈજપુર, સરદારગ્રામ, નરોડા, મેદરા, ડભોડા, નાંદોલ દહેગામ, જાળીયા મઠ, રખિયાલ, ખેરોલ, તલોદ, ખારી અમરાપુર, પ્રાંતીજ, સનાસણ, હાપા રોડ થઈને હિંમતનગર પહોંચશે.