Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જે. ડે મર્ડરકેસ : અમદાવાદમાં પત્રકારો અને બે પોલીસ-કર્મચારીઓની પૂછપરછ

જે. ડે મર્ડરકેસ : અમદાવાદમાં પત્રકારો અને બે પોલીસ-કર્મચારીઓની પૂછપરછ

09 December, 2011 08:35 AM IST |

જે. ડે મર્ડરકેસ : અમદાવાદમાં પત્રકારો અને બે પોલીસ-કર્મચારીઓની પૂછપરછ

જે. ડે મર્ડરકેસ : અમદાવાદમાં પત્રકારો અને બે પોલીસ-કર્મચારીઓની પૂછપરછ






જે. ડે મર્ડરકેસમાં પકડાયેલી પત્રકાર જિજ્ઞા વોરાના કૉલ-રેકોર્ડ્સની તપાસ દરમ્યાન તે અમદાવાદમાં બે પોલીસ-કર્મચારીઓ અને કેટલાક પત્રકારો સાથે સતત સંપર્કમાં હોવાનું જણાઈ આવ્યું હોવાથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરો અમદાવાદ ગયા હતા અને છેલ્લા ૩-૪ દિવસથી પૂછપરછ કરી રહ્યા હતા. પહેલાં મુંબઈમાં કાર્યરત હતો અને હાલમાં જ અમદાવાદ સ્થાયી થયેલા એક પત્રકારનો નંબર જિજ્ઞાના મોબાઇલ-રેકૉર્ડમાં મળી આવ્યો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જે. ડેની હત્યા ૧૧ જૂને પવઈમાં માફિયા ડૉન છોટા રાજન ગૅન્ગના શૂટરોએ ગોળી મારીને કરી હતી. આ કેસમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જિજ્ઞા વોરાનો પણ સમાવેશ છે. જિજ્ઞા વોરા પર આરોપ છે કે તેણે જે. ડેના ઘરનું ઍડ્રેસ, ઑફિસ-ઍડ્રેસ, બાઇકના નંબર જેવી દરેક માહિતી છોટા રાજનને પહોંચાડી હતી.

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2011 08:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK