રતન તાતાને કઈ વાતનો છે ડર?, ફેક ન્યૂઝ વિશે કહી આ વાત
રતન તાતા (ફાઇલ ફોટો)
છેલ્લા ત્રણ અઠવાડિયામાં આ બીજી ઘટના છે જ્યારે જાણીતાં ઉદ્યોગપતિ રતન તાતાને તેમના નામે ચાલતી ફેક ન્યૂઝને લઈને સ્પષ્ટતા આપવી પડી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું ડર લાગવા માંડ્યો છે.
ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝનું ચલણ સતત વધી રહ્યું છે. ફેક ન્યૂઝથી કોઇપણ બચી શક્યું નથી. દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન તાતા ફરી એકવાર ફેકન્યૂઝના અડફેટે આવી ગયા છે. ત્રણ અઠવાડિયામાં આ બીજીવાર થયું છે જ્યારે તેમને ટ્વીટ કરીને આ વિસે સ્પષ્ટતા કરવી પડી છે. આજે તેમણે એક ન્યૂધ પેપર કટિંગ ટ્વીટ કરી અને કહ્યું કે મને હવે ડર લાગવા માંડ્યો છે.
ADVERTISEMENT
રતન તાતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે જે કંઇ પણ આ પેપર કટિંગમાં કહેવામાં આવ્યું છે તે મેં નથી કહ્યું. હું ખોટાં સમાચારની સતત માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. સાથે જ તેમણે ન્યૂઝ સોર્સ વેરિફાઇ કરવાની પણ અપીલ કરી છે. જો મારી તસવીર સાથે કંઇ લખેલું છે તો એનો અર્થ એ નથી કે તે મેં કહ્યું છે. આ સમસ્યા ઘણાં લોકો સાથે થઈ રહી છે.
I’m afraid this too, has not been said by me. I will endeavour to call out fake news whenever I can, but would encourage you to always verify news sources. My picture alongside a quote does not guarantee me having said it, a problem that many people face. pic.twitter.com/pk0S75FxPA
— Ratan N. Tata (@RNTata2000) May 3, 2020
આ પેપર કટિંગમાં લખવામાં આવ્યું છે કે ટાટા ટ્રસ્ટના ચૅરમેન રતન તાતાએ વ્યાવસાયિક પેશાવરોને એક મેસેજ શૅર કર્યો છે. આ મેસેજ દ્વારા કહેવામાં આવ્યું છે કે 2020 ફક્ત જીવવા માટે છે, આથી આ વર્ષે ફાયદા અને નુકસાન વિશે ન વિચારો. સાથે જ સપનામાં પણ કોઇ આયોજન વિશે વાત ન કરો. આ વર્ષ પોતાને જીવતાં રાખવું એ જ સૌથી મોટો લાભ છે.
This post has neither been said, nor written by me. I urge you to verify media circulated on WhatsApp and social platforms. If I have something to say, I will say it on my official channels. Hope you are safe and do take care. pic.twitter.com/RNVL40aRTB
— Ratan N. Tata (@RNTata2000) April 11, 2020
એપ્રિલના બીજા અઠવાડિયામાં પણ તેમના નામે પ્રકાશિત ન્યૂઝમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના મહામારીને લઈને વિશેષજ્ઞો કહે છે કે આથી અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે. પણ હું ફક્ત એટલું કહેવા માગું છું કે આ વિશેષજ્ઞોને માનવીય પ્રેરણા અને જનૂન સાથે કરવામાં આવેલા પ્રયત્નો વિશે વધુ માહિતી નથી.