Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હૈદરાબાદ દુષ્કર્મ કેસ વાંચીને મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયા: હરિવંશ નારાયણ

હૈદરાબાદ દુષ્કર્મ કેસ વાંચીને મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયા: હરિવંશ નારાયણ

02 December, 2019 02:49 PM IST | Mumbai

હૈદરાબાદ દુષ્કર્મ કેસ વાંચીને મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયા: હરિવંશ નારાયણ

હરિવંશ નારાયણ

હરિવંશ નારાયણ


(જી.એન.એસ.) હૈદરાબાદમાં વેટરિનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ કર્યા બાદ આરોપીઓએ તેને જીવતી સળગાવી દીધી હતી. એના પર રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાએ ફરી એક વાર દિલ્હીની ‘નિર્ભયા’ની યાદ અપાવી. આ ઘટના વિશે તેમણે કહ્યું કે આપણે વિચારવું પડશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ.

હરિવંશે આ ઘટનાને અંદરથી ચોંકાવનારી ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યારે હું આ ઘટના વિશે વાંચું છું ત્યારે મારાં રૂંવાડાં  ઊભાં થઈ જાય છે. એ મહિલા ડૉક્ટર સાથે શું બર્બરતા કરવામાં આવી હતી. આપણે બધાએ એક વાર વિચારવાની જરૂર છે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

રાજ્યસભાના ઉપાધ્યક્ષે કહ્યું કે ‘વિનોબા ભાવેએ એક વાર ૧૯૫૦ના દાયકામાં કહ્યું હતું કે આપણે પશ્ચિમના વિકાસના મૉડલને અપનાવી રહ્યા છીએ. મને ખબર નથી કે આ ઉપભોક્તાવાદી સંસ્કૃતિ અમને ક્યાં લઈ જશે. જો કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ અને આરોગ્ય ગુમાવે છે તો એ ફરીથી મેળવી શકાય, પરંતુ જો તેના જીવનનાં મૂલ્યોનો નાશ કરવામાં આવે તો તેના જીવનનું નુકસાન ક્યારેય ચૂકવી શકાય નહીં.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2019 02:49 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK