Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વનરાજોનું વેકેશન પૂરું થયાના પહેલા દિવસે ૧૩૯૨ લોકોએ સિંહદર્શન કર્યા

વનરાજોનું વેકેશન પૂરું થયાના પહેલા દિવસે ૧૩૯૨ લોકોએ સિંહદર્શન કર્યા

17 October, 2011 06:47 PM IST |

વનરાજોનું વેકેશન પૂરું થયાના પહેલા દિવસે ૧૩૯૨ લોકોએ સિંહદર્શન કર્યા

વનરાજોનું વેકેશન પૂરું થયાના પહેલા  દિવસે ૧૩૯૨ લોકોએ સિંહદર્શન કર્યા


 



 


સંવનન કાળ દરમ્યાન ટૂરિસ્ટનું કોઈ ડિસ્ટર્બન્સ ન આવે એ માટે ચોમાસામાં ગીર ફૉરેસ્ટમાં ટૂરિસ્ટ માટે પ્રવેશબંધી જાહેર કરાઈ હતી

ગીરનું જંગલ ખુલ્લું મુકાતાં પહેલા જ દિવસે ૧૩૯૨ લોકો સિંહ-દર્શન માટે જંગલમાં ગયા હતા, જ્યારે ૧૩૬ પર્સનલ કારમાલિકોએ પોતાની કાર ગીરમાં લઈ જવા માટે પરમિટ લીધી હતી. ગુજરાત સરકારની ધારણા છે કે દિવાળીની રજાઓ અને સ્કૂલના વેકેશન-પિરિયડ દરમ્યાન આવતા એક મહિનામાં ૭૫ હજારથી ૧ લાખ લોકો ગીર ફૉરેસ્ટમાં સિંહ-દર્શન માટે આવશે.

સિંહોની છેલ્લી વસ્તીગણતરી મુજબ ગીરના જંગલમાં કુલ ૪૧૧ સિંહ-સિંહણ અને તેમનાં બચ્ચાંઓ હતાં. ગયા અઠવાડિયે ‘મિડ-ડે’એ જ્યારે ગીર ફૉરેસ્ટના ડિવિઝનલ ફૉરેસ્ટ ઑફિસર ડૉ. સંદીપકુમાર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે આ વર્ષો ઓછામાં ઓછા નવા ૧૦૦ સિંહો ઉમેરાય એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2011 06:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK