Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરીની ઘટના બાદ વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે દ્વારા એસ્કેલેટર્સની તપાસ

અંધેરીની ઘટના બાદ વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે દ્વારા એસ્કેલેટર્સની તપાસ

20 February, 2020 12:06 PM IST | Mumbai Desk
Rajendra B aaklekar

અંધેરીની ઘટના બાદ વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે દ્વારા એસ્કેલેટર્સની તપાસ

અંધેરીની ઘટના બાદ વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે દ્વારા એસ્કેલેટર્સની તપાસ


સોમવારે સાંજે પશ્ચિમ રેલવેના અંધેરી સ્ટેશન પર એસ્કેલેટર્સ જોખમી રીતે અવળી દિશામાં ગતિ કરવા માંડતાં તાત્કાલિક તમામ સબર્બન રેલવે સ્ટેશનોનાં એસ્કેલેટર્સની તપાસ હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવે બન્ને પરનાં રેલવે-સ્ટેશનો પર ૧૦૦ કરતાં વધુ એસ્કેલેટર્સ કાર્યરત છે જેમાં હાર્બર લાઇનનો સમાવેશ છે. સત્તાવાર આંકડા પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯ સુધી વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનમાં ૪૮ એસ્કેલેટર્સ છે (૧૬ એસ્કેલેટર્સ ૨૦૧૯માં બંધાયાં હતાં) અને સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝન પાસે ૬૭ એસ્કેલેટર્સ છે, જે પૈકીનાં ૯ ૨૦૧૯માં બંધાયાં હતાં. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘અમે આ ઘટના વિશે માહિતી એકઠી કરીશું અને અમારા નેટવર્કનાં એસ્કેલેટર્સની ચકાસણી પણ કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 12:06 PM IST | Mumbai Desk | Rajendra B aaklekar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK