જિયા ખાનની આત્મહત્યા કેસમાં આદિત્ય પંચોલીના પુત્ર સૂરજની પૂછપરછ
મુંબઈ, 4 જૂન 2013
જિયા ખાનની આત્મહત્યાના કેસમાં જુહૂ પોલીસ દ્વારા આ બોલીવુડ પિતા-પુત્રની પૂછપરછ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
જૂહુ પોલીસ સ્ટેશન બહાર મિડીયાપર્સન્સ
સૂરજે સોમવાર રાત્રે 9:30 વાગ્યાની આસપાસ જિયાના ઘરે હતો. આ ઉપરાંત તેમની વચ્ચે રાત્રે 10:35થી 11:15 વચ્ચે ફોન દ્વારા વાત પણ થઈ હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
જિયાએ સૂરજ સાથેના છેલ્લા કોલ બાદ થોડીક જ મિનિટોમાં આત્મહત્યા કરી હતી.
સૂરજ પંચોલી
સૂત્રો અનુસાર કહેવાય છે કે જિયા અને સૂરજના સંબંધોમાં પ્રોબલમ્સ હતાં જેનાં કારણે તે ડિપ્રેસ રહેતી હતી. જિયાની માતા રાબિયાએ પણ બાબતે તેમની સાથે વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જિયા ખાને સોમવારે રાત્રે તેના જુહુમાં આવેલા ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
જિયા ખાનના મોતથી બોલીવુડ થયું સ્તબ્ધ, જુઓ કોણે શું કહ્યું?
IN PICS : કોણ હતી જિયા ખાન?