અભિનેતા-ગાયક કરણ ઑબેરૉયને જામીન મળ્યા
કરણ ઑબેરૉય
પોતાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પર બળાત્કારના આરોપી અને અભિનેતા તથા ગાયક કરણ ઑબેરૉયને ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે ૫૦,૦૦૦ રૂપિયાની જામીનગીરી પર જામીન આપ્યા હતા. ૩૪ વર્ષની મહિલાએ કરણ ઑબેરૉયે અનેક વાર તેની પર બળાત્કાર કયોર્ હોવાનો તેમ જ બળજબરીથી તેની પાસેથી ભેટસોગાદો અને રૂપિયા પડાવવાનો આક્ષેપ કર્યા બાદ પાંચમી મેએ કરણ ઑબેરૉયની ધરપકડ કરવામાં આવી હતી. જામીનની અરજીમાં કરણ ઑબેરૉયે જણાવ્યું હતું કે મહિલા અને મારી વચ્ચે પરસ્પર સહમતીથી સંબંધ બન્યો હતો અને મેં સંબંધનો અંત કર્યા બાદ મહિલાએ મારા પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.
આ પણ વાંચો : મુંબઈ: MSRDC કૅડબરી જંક્શનના બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ કરશે
ADVERTISEMENT
કરણ ઑબેરૉયને જામીન આપતાં જજે નોંધ્યું હતું કે કરણની વિરુદ્ધ ફરિયાદ કરવાને પગલે તેના પર હુમલો કરાયો છે, એવું દર્શાવવા મહિલાએ ૨૫ મેએ પોતાના પર બનાવટી હુમલો કરાવ્યો હતો, જેનો હેતુ કરણને જામીન ન મળે તે હતો. ફરિયાદી મહિલા કરણ ઑબેરૉય સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ તેણે ના પાડી મહિલાની ઉપેક્ષા કરતાં મહિલાએ તેના પર બળાત્કારનો આક્ષેપ મૂક્યો હતો. બંને વચ્ચેના મેસેજીસ પરથી એ સ્પષ્ટ થાય છે કે મહિલાએ પોતાની ઇચ્છાથી કરણ માટે ભેટસોગાદ ખરીદી હતી, કરણે માગણી કરી નહોતી.