૩૦ જાન્યુઆરીએ દેશભરમાં બે મિનિટનું મૌન રખાશે
તસવીર સૌજન્ય જાગરણ
ગૃહ મંત્રાલયે શહીદ દિનને લઈને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચનાઓ જારી કરી છે. ગૃહ મંત્રાલયે ૩૦ જાન્યુઆરીને સવારે ૧૧ વાગ્યે શહીદ દિન પર તમામે બે મિનિટ મૌન રાખવા રાજ્યોને કહ્યું છે. ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે આખો દેશ બે મિનિટનું મૌન પાળશે. ૩૦ જાન્યુઆરી દેશમાં શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે જ ૧૯૪૮માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નાથુરામ ગોડસેએ ગોળી મારી હત્યા કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે કે ૩૦ જાન્યુઆરીને દર વર્ષની જેમ શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવશે. ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનું મૌન પાળવામાં આવશે. આ બે મિનિટ આખા દેશમાં કોઈ કામગીરી કે આંદોલન થશે નહીં. કચેરીઓ, શાળાઓમાં પણ કામ અટકશે. જ્યાં મૌન સંભળાવવા માટે સાયરન્સ ગોઠવવામાં આવ્યાં છે ત્યાં એ વગાડવામાં આવશે. આ અલર્ટ ૧૦.૫૯ વાગ્યે કરવામાં આવશે. આ પછી દરેકને બે મિનિટ સુધી મૌન રહેવું પડશે.