ગુજરાત સહિત 9 રાજ્યોમાં વાવાઝોડાનો આતંક, PM મોદીએ કર્યું Tweet
Image Courtesy : PTI
દેશભરમાં વાવાઝોડાને કારણે મોટું નુક્સાન થયું છે. દેશના ગુજરાત સહિત 8 રાજ્યોમાં વંટોળ અને વરસાદની સાથે કરા પણ પડ્યા છે. રાજસ્થાનમાં વાવાઝોડાને કારણે 9 લોકના મોત થયા છે, તો મધ્યપ્રદેશમાં 13 લોકો મોતને ભેટ્યા છે. દેશભરમાં વાવાઝોડાને કારણે કુલ 28 લોકોના મોત નીપજ્યા છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈ આજે પણ એલર્ટ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વાવાઝોડાની સાથે વરસાદ પણ ખાબપ્યો હતો. રાજસ્થાનના કેટલાક જિલ્લામાં પણ ઝાડ પડી જવાની અને વીજપોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જો કે હજીય ખતરો ટળ્યો નથી. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે તોફાનનું એલર્ટ આપ્યું છે.
ADVERTISEMENT
PM મોદીએ કર્યું ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે ટ્વિટ કરીને મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્ત લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું,'તોફાનને કારણે ગુજરાતમાં થયેલા નુક્સાનથી હું દુઃખી છું. હું ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની કામના કરું છું' સાથે જ વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવાર અને ઈજાગ્રસ્તોને રાહતની જાહેરાત પણ કર છે. મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે.
Anguished by the loss of lives due to unseasonal rains and storms in various parts of Gujarat. My thoughts are with the bereaved families.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 17, 2019
Authorities are monitoring the situation very closely. All possible assistance is being given to those affected.
આ પણ વાંચોઃ રાજ્યના વાતાવરણમાં પલટો, જુઓ મોસમના બદલાયેલા મિજાજની તસવીરો
ગુજરાતમાં 9 લોકોના મોત, ખેડૂતોનો પાક બગડશે
ગુજરાતમાં તોફાનને કારણે 9 લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ સહિતના જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બગડ્યો છે. આંધી તોફાનની અસર ચૂંટણી પ્રચાર પર પણ પડી રહી છે. આજે વડાપ્રધાન મોદી ગુજરાતમાં ત્રણ રેલી કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં હોર્ડિંગ્સ પણ ઉખડી ગયા છે.