ડોમેસ્ટિક ઍરપોર્ટ પર ફસડાઈ પડેલા ૫૪ વર્ષના પુરુષનું મોત
ઍરપોર્ટના મેડિકલ સ્ટાફે તેમને પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં તેમને નજીકની નાણાવટી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં પહોંચે એ પહેલાં જ તેમનું મોત થયું હતું.
ADVERTISEMENT
સાંજે તેમના મૃતદેહનો કબજો લેવા આવેલા તેમના સગા સંજયે કહ્યું હતું કે ‘ઍરપોર્ટ પર બેહોશ થયા એના અડધા કલાક પહેલાં જ તેમણે ફોન કરીને પિક-અપ માટે કાર મગાવી હતી. જોકે તેઓ કારની સામે જ ઢળી પડ્યા હતા. ડ્રાઇવરે તરત એની જાણકારી ઍરપોર્ટના કર્મચારીઓને આપી હતી.’
સમગ્ર પરિવાર આ ઘટનાથી આઘાત પામ્યો છે. તેમને બે ટીનેજર દીકરીઓ છે. ભૂતકાળમાં પણ તેમને હૃદયને લગતી કોઈ બીમારી નહોતી. જોકે તેમને ડાયાબિટીઝ હતો. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવો જોઈએ એવી શંકા છે. નાણાવટી હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેમના મૃત્યુનું કારણ પોસ્ટમૉર્ટમના રર્પિોટમાં જ જાણી શકાશે.