Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એલબીએસ રોડનાં ૪૫૦ સ્ટ્રક્ચર્સને નોટિસ

એલબીએસ રોડનાં ૪૫૦ સ્ટ્રક્ચર્સને નોટિસ

29 August, 2012 08:19 AM IST |

એલબીએસ રોડનાં ૪૫૦ સ્ટ્રક્ચર્સને નોટિસ

એલબીએસ રોડનાં ૪૫૦ સ્ટ્રક્ચર્સને નોટિસ


ઘાટકોપરના એલબીએસ માર્ગને પહોળો કરવાના પ્રથમ ચરણરૂપે સુધરાઈએ આ માર્ગના નૂતનીકરણના કામમાં નડતરરૂપ ૪૫૦ સ્ટ્રક્ચર્સને એક મહિનામાં ખાલી કરવાની નોટિસ આપી દીધી છે. કામાણીથી લઈને શ્રેયસ સિનેમા સુધીમાં ૫૬૬ સ્ટ્રક્ચર્સ હટાવવાનાં છે. જોકે રસ્તાના નૂતનીકરણનું કામ શરૂ થતાં હજી છ મહિના થશે.

છેલ્લા એક દસકામાં એલબીએસ માર્ગ પર ટ્રાફિક વધ્યો છે જેની સામે ૬૦થી ૮૦ ફૂટના આ માર્ગને ૧૨૦ ફૂટનો બનાવવો જરૂરી છે. ઘાટકોપર (ઈસ્ટ)ના બીજેપીના વિધાનસભ્ય પ્રકાશ મહેતા અને વેસ્ટના એમએનએસના વિધાનસભ્ય રામ કદમ આ માટેના પ્રયાસો પોતપોતાની રીતે કરી રહ્યા હતા, જેમાં રામ કદમે પહેલા જ દિવસથી સુધરાઈ અને મહારાષ્ટ્ર સરકાર સમક્ષ આક્રમક રીતે રજૂઆત કરી હતી.



મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર અસીમ ગુપ્તાએ ૧૩ ઑગસ્ટે ઘાટકોપરના એલબીએસ માર્ગને પહોળો કરવા માટે કરેલી વિઝિટ સમયે મિડ-ડે LOCAL પાસે સ્પષ્ટ કર્યું હતું કે ‘પહેલાં અમારી સ્ટ્રકચર્સ સામે સ્ટ્રક્ચર્સ ક્યાં અને કેવી રીતે આપવાં એની સમસ્યા હતી એનું નિરાકરણ મહાનગરપાલિકાએ મહારાષ્ટ્ર સરકાર સાથે રહીને હળવું કરી દીધું છે. એ મુજબ જે સ્ટ્રક્ચર્સ-ઓનર્સે તેમની જગ્યાની સામે મહાનગરપાલિકાએ ઑફર કરેલી જગ્યામાં સ્થળાંતર ન કરવું હોય તેમને મહાનગરપાલિકાએ તૈયાર કરેલા ભાવ મુજબ જગ્યાની કિંમત સુધરાઈ પાસેથી લઈને તેમની જગ્યાને ખાલી કરી આપવાની રહેશે.’


વિધાનસભ્ય રામ કદમે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વખતની મારી ચક્કા જૅમની ધમકીની ધારી અસર થઈ છે. ઘાટકોપરનો વિસ્તાર જે મહાનગરપાલિકાના વૉર્ડ હેઠળ આવે છે એ ફ્ વૉર્ડ તરફથી રમઝાન ઈદનો તહેવાર પૂરો થતાં જ એલબીએસ માર્ગ પહોળો કરવાના પ્રોજેક્ટમાં અડચણરૂપ ૪૫૦ સ્ટ્રક્ચર્સ-ઓનર્સને એક મહિનામાં જગ્યા ખાલી કરવાની નોટિસ આપી દેવામાં આવી છે. અત્યારે એલબીએસ માર્ગની પહોળાઈનો ૨૫ ટકા ભાગ જ આપણને દેખાય છે. સ્ટ્રક્ચર્સ હટતાં બાકીનો ૭૫ ટકા ભાગ આપણે જોઈ શકીશું.’

કામમાં અડચણ ન આવે એની લીધી કાળજી


સાયનથી મુલુંડ સુધીનો એલબીએસ માર્ગ પહોળો કરવાના કામમાં હવે વધુ અડચણ આવે નહીં અને આઠ વર્ષથી અટકી રહેલું કામ કોઈ પર જાતની સમસ્યા વગર પાર પડે એ માટે મહાનગરપાલિકાએ આ માર્ગ પરથી હટાવવામાં આવનારાં ૨૦૦૦ બાંધકામોના માલિકો સામે બૉમ્બે હાઈ કોર્ટમાં ૧૨૫૦ કૅવિએટ દાખલ કરી છે. ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે એલબીએસ માર્ગ પહોળો કરવાના પ્રોજેક્ટમાં હવે બાંધકામના માલિકો કોર્ટમાંથી આ પ્રોજેક્ટ સામે સ્ટે-ઑર્ડર લાવે નહીં એ માટે મુંબઈ સુધરાઈ જાગૃતિથી કામ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2012 08:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK