Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દહિસરમાં યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

દહિસરમાં યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

10 December, 2020 12:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દહિસરમાં યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દહિસરમાં રહેતા અને ઇમિટેશન જ્વેલરીનું કામ કરતા ૩૦ વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. દહિસર પોલીસે આ સંદર્ભે અકસ્માત મૃત્યુનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આત્મહત્યાના આ કેસ વિશે દહિસર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સિદ્ધાર્થ તુકારામ દૂધમલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃતક ધનંજય રાજન રાણા તેના અન્ય બે સાથીદારો સાથે દહિસરના પટેલ એસ્ટેટ પાછળના શાંતાબાઈ મકવાણા કમ્પાઉન્ડની દુર્ગાદાસ ચાલમાં રહેતો હતો. તેઓ પશ્ચિમ બંગાળના કારીગરો હોવાથી ઇમિટેશન જ્વેલરી બનાવે છે. મંગળવારે સાંજે ૫.૩૦ વાગ્યે ધનંજયના સાથી શાકભાજી લેવા ગયા હતા ત્યારે ધનંજયે સીલિંગ ફૅન સાથે પંચીયુ બાંધીને ગળાફાંસો ખાધો હતો. સાત વાગ્યે સાથીઓ પાછળ આવ્યા હતા ત્યારે ધનંજયે દરવાજો ન ખોલતાં બારીમાંથી ડોકિયું કરતાં તે ગળાફાંસો ખાધેલો જોવા મળ્યો હતો. આથી તેમણે તરત જ અમારો સંપર્ક કર્યો હતો. અમે બારી તોડી રૂમમાં અંદર પ્રવેશ કરીને દરવાજો ખોલ્યો હતો. ધનંજયના મૃતદેહનું પંચનામું કરીને શતાબ્દી હૉસ્પિટલમાં મોકલાયો છે. તેના પશ્ચિમ બંગાળમાં રહેતા પરિવારને આ બાબતે જાણ કરી છે. જોકે અત્યારે ત્યાંથી ટ્રેનમાં અહીં આવવા રિઝર્વેશન કરાવવું પડતું હોવાથી પરિવારે કહ્યું છે કે અમે અહીથી નીકળીશું ત્યારે તમને જણાવીશું. ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ-નોટ મળી નથી. તેનો ફોન પણ અમે ચેક કર્યો, પણ એમાં કઈ વાંધાજનક મળ્યું નથી. આથી અમે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને તેણે શા માટે આવું અંતિમ પગલું ભર્યું હતું એની તપાસ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2020 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK