Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી-જયપુર નૅશનલ હાઇવે પર ૩૦ વાહનો ટકરાયાં : ૧૮ જણ ઘાયલ

દિલ્હી-જયપુર નૅશનલ હાઇવે પર ૩૦ વાહનો ટકરાયાં : ૧૮ જણ ઘાયલ

03 January, 2020 03:52 PM IST | Mumbai Desk

દિલ્હી-જયપુર નૅશનલ હાઇવે પર ૩૦ વાહનો ટકરાયાં : ૧૮ જણ ઘાયલ

દિલ્હી-જયપુર નૅશનલ હાઇવે પર ૩૦ વાહનો ટકરાયાં : ૧૮ જણ ઘાયલ


નૅશનલ હાઇવે ૮ પર ગઈ કાલે સવારે ગાઢ ધુમ્મસને કારણે ૩૦થી વધુ વાહનો એકબીજાં સાથે અથડાતાં ૧૮ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત દિલ્હી-જયપુર હાઇવે પર રાજસ્થાનના અલવર જિલ્લાના દૂઘેરા નજીક થયો હતો. ઘાયલ લોકોને સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અલવરથી ૬૦ કિલોમીટર દૂર થયેલા આ અકસ્માત બાદ ટ્રાફિક ક્લિયર કરાવવા, ડેમેજ થયેલાં વાહનોને હટાવવાનું પણ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું.

ગયા સપ્તાહે નૅશનલ હાઇવે-૮ પર આ જ પ્રકારનો અકસ્માત થયો હતો જેમાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૨ લોકો ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં હાલમાં જોરદાર ઠંડી પડી રહી છે. વહેલી સવારે અહીંના મોટા ભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેતું હોવાથી રસ્તા પર વાહન ચલાવવું પણ મુશ્કેલ થઈ જાય છે.
ટ્રાફિકથી હંમેશાં ધમધમતા રહેતા દિલ્હી-જયપુર હાઇવે પર પહેલાં પણ આ પ્રકારના અકસ્માત થઈ ચૂક્યા છે. વિઝિબિલિટી ઓછી હોવા છતાં હાઇવે પર બેફામ ઝડપે દોડતાં વાહનો આવા ગંભીર અકસ્માત સર્જતાં હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2020 03:52 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK