Mumbai: 21 ગુજરાતી બિઝનેસમેન જોડાયા શિવસેનામાં
તસવીર સૌજન્ય મિડ-ડે
ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલા અહેવાલ મુજબ શિવસેનાએ ગુજરાતી કૉમ્યુનિટીમાં 'રાસ-ગરબાં' થીમ હેઠળ મેળાવડાનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં જાણીતી ગાયિકા બહેનો પ્રીતિ અને પિન્કી પણ હાજર રહી હતી. આ બન્ને બહેનો મેળાવડાનું મુખ્ય આકર્ષણ રહી.
શિવસેનાએ ગુજરાતી કૉમ્યુનિટીનું ધ્યાન આકર્ષવા માટે રવિવારે બીજીવાર મલાડ વેસ્ટમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને બિઝનેસમેન્સના મેળાવડાનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદીપ જૈન, પરેશ પંડ્યા અને અતુલ શાહ પણ હાજર હતા. આ મેળાવડા દરમિયાન 21 ગુજરાતી બિઝનેસમેન શિવસેના સાથે જોડાયા.
ADVERTISEMENT
રાસ-ગરબા જે ગુજરાતી લોકનૃત્યનો પ્રકાર છે. આ થીમ હેઠળ પ્રીતિ-પિન્કીની હાજરીમાં આ કાર્યક્રમ થયો. ગયા મહિને જ શિવસેનાએ ગુજરાતીઓને આકર્ષવા માટે આ નવી ટૅગલાઇનની જાહેરાત કરી હતી. આ ટેગલાઇન હતી, "મુંબઇમાં જલેબી ને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાં" ગુજરાતીઓને આકર્ષવા માટે આ નવી ટૅગલાઇન જાહેર કરવામાં આવી.