Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલોનાં બાળકોના સ્વાસ્થ્ય માટે બેદરકાર સુધરાઈ

સ્કૂલોનાં બાળકોના સ્વાસ્થ્ય માટે બેદરકાર સુધરાઈ

26 November, 2014 05:04 AM IST |

સ્કૂલોનાં બાળકોના સ્વાસ્થ્ય માટે બેદરકાર સુધરાઈ

સ્કૂલોનાં બાળકોના સ્વાસ્થ્ય માટે બેદરકાર સુધરાઈ



રોહિત પરીખ

બાળકો નીરોગી રહે એ માટે સુધરાઈ મોટાં-મોટાં હોર્ડિંગ્સ લગાડીને મચ્છરોથી કેમ બચવું એના ઉપાયોની જાહેરાત કરતી હોય છે, પણ ઠેર-ઠેર ગંદકીને માટે સુધરાઈ જ જવાબદાર હોય છે. છતાં આ બાબત સામે કોઈ જ નગરસેવકો અવાજ ઉઠાવતા નથી. તેઓ પણ હાથ જોડીને બેસે છે અને સુધરાઈના અધિકારીઓ પાસે કામ લેતા નથી. ઊલટાનો એમનો બચાવ કરતા જોવા મળે છે.

આ માહિતી આપતાં  વેસ્ટના સાંઈનાથનગરના એક રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘તમારા વર્તમાનપત્રમાં તમે ઘાટકોપર-ઈસ્ટના પટેલ ચોક પાસે આવેલી શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા પાસે થતી ગંદકી વિશે લખ્યું હતું એ પછી ત્યાં ગંદકી હવે ઓછી જોવા મળે છે. ઘાટકોપર-વેસ્ટના સાંઈનાથનગરની ધ્સ્ધ્ઞ્ સાર્વજનિક હાઈ સ્કૂલની સામે આખા વિસ્તારનો કચરો જમા કરવા માટે ડસ્ટબિનો રાખીને સુધરાઈએ ગંદકીમાં વધારો  કર્યો છે.



આ ડસ્ટબિનોમાં એટલોબધો કચરો જમા થાય છે કે ક્યારેક તો બાળકોએ કચરામાંથી ફરજિયાત ચાલવું પડે છે. આ ડસ્ટબિનો જ્યાં મૂકવામાં આવી છે એની નજીક સાર્વજનિક સ્કૂલ અને સુધરાઈની મરાઠી સ્કૂલ પણ આવેલી છે તથા પાસે જ બાળકોને રમવા માટેનું એક ગાર્ડન પણ આવેલું છે. છતાં ગંદકી ત્યાં જ ભેગી કરવામાં આવે છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ સુધરાઈને ગંદકી  હટાવવા માટે પ્રોપર ઉપાય મળતો જ નથી.’
આ ડસ્ટબિનોની બાજુમાં વષોર્ પહેલાં એક પોલીસ બીટ-માર્શલ માટે ચોકી બનાવવામાં આવી હતી. એની વાત કરતાં આ રહેવાસીએ કહ્યું હતું કે ‘આ બીટ-ચોકીમાં શરૂઆતમાં પોલીસ બેસતી હતી, પણ ઘણા લાંબા સમયથી આ ચોકી બંધ પડી છે. એની હાલત પણ કથળી ગઈ છે. એને પણ હટાવવાની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2014 05:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK