Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઇંદરના દેવચંદનગરમાં પોલીસનું પૅટ્રોલિંગ વધારવાની માગણી

ભાઇંદરના દેવચંદનગરમાં પોલીસનું પૅટ્રોલિંગ વધારવાની માગણી

09 October, 2014 08:05 AM IST |

ભાઇંદરના દેવચંદનગરમાં પોલીસનું પૅટ્રોલિંગ વધારવાની માગણી

ભાઇંદરના દેવચંદનગરમાં પોલીસનું પૅટ્રોલિંગ વધારવાની માગણી




પ્રીતિ ખુમાણ ઠાકુર

ભાઇંદર-વેસ્ટમાં જૈનોની વસ્તી ધરાવતા દેવચંદનગરમાં આવેલાં બે પ્રખ્યાત દેરાસરમાં બે મહિનામાં બે વખત એકસરખી રીતે ચોરી થતાં રહેવાસીઓ ભારે ચિંતામાં મુકાઈ ગયા હોવાથી રહેવાસીઓએ આખા વિસ્તારમાં પોલીસ-પૅટ્રોલિંગ વધારવા માટેની માગણી કરી છે.  લોકોની અવરજવરના મુખ્ય વિસ્તારમાં કેટલીયે વખત ચેઇન-સ્નૅચિંગ અને ચોરી જેવા બનાવો પણ બને છે આથી લોકોએ પોલીસ સામે પણ નારાજગી દાખવી છે.વધુ માહિતી આપતાં આ વિસ્તારમાં રહેતા એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘ચોરી અને ચેઇન-સ્નૅચિંગ જેવા બનાવો અમારા વિસ્તારમાં વધી રહ્યા છે. એ સાંભળીને અમને નવાઈ લાગી રહી છે. આ વિસ્તાર સૌથી વધુ ગીચ છે. રાતના સમયે પણ લોકોની અવરજવર તો હોય જ છે. છતાં અહીંનાં બહુ જાણીતાં દેરાસરોમાંથી ચોરી થતાં અમે બધા તો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છીએ.

બે મહિના પહેલાં બાવન જિનાલયમાં ચોરી થઈ અને એ બાદ શનિવારે ૧૦૦૮ આદિનાથ દિગંબર જૈન મંદિરમાં પણ એવી જ રીતે ચોરી કરીને લાખો રૂપિયા લઈ જવામાં આવ્યા તો અમારા ઘરમાં ચોરી કરતાં કેટલી વાર લાગશે. આથી પોલીસ આ વિસ્તારમાં પૅટ્રોલિંગનું પ્રમાણ વધારે એવી અમારી માગણી છે. પોલીસ અમને અલર્ટ રહેવાનું કહે છે પણ અમે તો અમારી રીતે અલર્ટ છીએ જ. એ સાથે પોલીસ પણ અહીં દિવસે અને ખાસ કરીને રાતના સમયે રાઉન્ડ મારતી રહે તો ચોરોમાં એક ડર બન્યો રહેશે. આ ઉપરાંત કેટલીક વખત અસામાજિક તત્વો પણ એમનો અડ્ડો જમાવીને રાતના સમયે જ્યાં-ત્યાં બેઠા હોય છે, એ કારણે પણ વિસ્તાર અસુરક્ષિત બની જાય છે. જો પોલીસ રાઉન્ડ મારતી રહે તો તેઓ પણ બેસતા બંધ થઈ જશે અને વિસ્તારમાં સેફ્ટીનું પણ પ્રમાણ વધશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2014 08:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK