Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > માયાવતી અને મુલાયમ વચ્ચેની લડાઈમાં સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી

માયાવતી અને મુલાયમ વચ્ચેની લડાઈમાં સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી

11 December, 2012 08:13 AM IST |

માયાવતી અને મુલાયમ વચ્ચેની લડાઈમાં સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી

માયાવતી અને મુલાયમ વચ્ચેની લડાઈમાં સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી




સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં એસસી-એસટીને અનામતનો લાભ આપતા બિલને મુદ્દે સંસદમાં સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. યુપીએ સરકારને બહારથી ટેકો આપી રહેલી બીએસપીનાં વડાં માયાવતીએ ગઈ કાલે ગર્ભિત ચેતવણી આપતાં કહ્યું હતું કે જો સરકાર રાજ્યસભામાં આ બિલ પાસ નહીં કરે તો પાર્ટી આકરું પગલું ભરી શકે છે. આ તરફ સમાજવાદી પાર્ટીએ આ બિલને ગેરબંધારણીય ગણાવીને તેના વિરોધમાં રાજ્યસભાની કામગીરી અટકાવી દેવાની ધમકી આપી હતી. બન્ને બાજુએથી ભીંસાયેલી સરકારે કાલે બન્ને પાર્ટીને મનાવીને વચ્ચેનો રસ્તો કાઢવા દોડધામ કરી હતી. આ તરફ બીજેપીએ કેટલાક સુધારા સાથે આ બિલને ટેકો આપવાનો સંકેત આપ્યો હતો. ગઈ કાલે એસસી-એસટીને નોકરીઓમાં પ્રમોશનમાં અનામતનું બિલ રાજ્યસભામાં રજૂ કરવા માટે લિસ્ટેડ થયું એ સાથે જ વિપક્ષે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. એ પછી રાજ્યસભાની કામગીરી એક દિવસ માટે મોકૂફ કરી દેવામાં આવી હતી. 





માયાવતીનું અલ્ટિમેટમ


બીએસપી સુપ્રીમો માયાવતી ગઈ કાલે સંસદની બહાર કહ્યું હતું કે ‘અમે હજી બેથી ત્રણ દિવસ રાહ જોઈશું. જો સરકાર કે રાજ્યસભાના ચૅરમૅન કોઈ પગલાં નહીં ભરે તો પછી અમે આકરું પગલું ભરવા માટેનો નિર્ણય લઈશું. અમારા માટે એસસી-એસટી બિલ અત્યંત ગંભીર છે. હું યુપીએ સરકારને કહેવા માગું છું કે રાજ્યસભા ચલાવવાની જવાબદારી તમારી છે. તેથી બિલ પર ચર્ચા થાય અને એ પાસ થાય એ જોવાની જવાબદારી પણ સરકારી છે.’

માયાવતીએ હજી પણ એફડીઆઇને મુદ્દે હોબાળો મચાવવા બદલ બીજેપીની ટીકા કરી હતી. તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે એસસી-એસટી બિલને અટકાવી રાખવા બીજેપી સંસદમાં ડ્રામા કરી રહી છે. માયાવતીએ સમાજવાદી પાર્ટી પર પણ બીજેપીના ઇશારે કામ કરવાનો આરોપ મૂક્યો હતો.

સમાજવાદી પાર્ટીનું સ્ટૅન્ડ   


સમાજવાદી પાર્ટીએ એસસી-એસટી બિલના વિરોધમાં રાજ્યસભામાં દેખાવો કરતા રહેવાની ધમકી આપી હતી. પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કહ્યું હતું કે ‘આ બિલના વિરોધમાં અમે સસ્પેન્શનનો સામનો કરવા માટે પણ તૈયાર છીએ. યાદવે બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ બિલને કારણે સમુદાયો વચ્ચે વૈમનસ્ય પેદા થશે અને સમાજમાં ભાગલા પડી જશે. બહુમતી લોકો આ જોગવાઈનો વિરોધ કરી રહ્યા છે. આ બિલ તદ્દન અનૈતિક છે.’


બીજેપી સર્પોટ આપશે?


બીજેપીએ ગઈ કાલે સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં એસસી-એસટીને અનામત વિશેના બિલને ટેકો આપવાનો સંકેત આપ્યો હતો. રાજ્યસભામાં બીજેપીના ડેપ્યુટી લીડર રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે બંધારણીય જોગવાઈ હેઠળ એસસી-એસટી વર્ગના લોકોને સામાજિક ન્યાય આપવાની બીજેપી તરફેણ કરે છે. બીજેપી આ બિલમાં કેટલીક ચોક્કસ જોગવાઈઓ સામેલ કરવા માગે છે. ગઈ કાલે રાજ્યસભાના ચૅરમૅન હામિદ અન્સારીએ બીએસપી, સમાજવાદી પાર્ટી, બીજપી તથા સરકાર સાથે આ બિલને મુદ્દે ચર્ચા કરી હતી.

એસસી = શેડ્યુલ કાસ્ટ, એસટી = શેડ્યુલ ટ્રાઇબ, બીએસપી = બહુજન સમાજ પાર્ટી, બીજેપી = ભારતીય જનતા પાર્ટી

Whatsapp-channel Whatsapp-channel

11 December, 2012 08:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK