Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈ સ્ટેશને કેમ પહોંચવું?

વસઈ સ્ટેશને કેમ પહોંચવું?

01 November, 2012 06:55 AM IST |

વસઈ સ્ટેશને કેમ પહોંચવું?

વસઈ સ્ટેશને કેમ પહોંચવું?




વસઈ-વેસ્ટની બાજુએથી વસઈ રેલવે-સ્ટેશન જવા માટેના ખૂબ જ મહત્વના રોડની હાલત ખૂબ જ ખરાબ છે. તેથી આ રસ્તાને જોઈને થાય કે વસઈ સ્ટેશને પહોંચવું કેવી રીતે?





વસઈ-વેસ્ટની ચર્ચગેટ સાઇડની બાજુએ એકમાત્ર રેલવે બ્રિજ છે. આ બ્રિજ દ્વારા વસઈ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર જઈ શકાય છે. આ બાજુએથી બ્રિજ દ્વારા જવા માટે આ એકમાત્ર રસ્તો છે. રેલવે બ્રિજની આગળ આવેલા આ રસ્તા પરના પેવર બ્લૉક ઊખડી ગયા છે. ગટરોનાં ઢાંકણાં અંદર ઘૂસી ગયાં છે. આ ગટરમાંથી નીકળતું ગંદું પાણી કેટલીયે વાર રસ્તા પર પણ આવે છે. તેમ જ રસ્તા પર ગંદકી પડી રહેતી હોય છે જેની હાલાકીનો સામનો લોકોએ કરવો પડે છે, પણ પ્રશાસનનું ક્યારેય આના પર ધ્યાન જતું નથી. 

આ સમસ્યા વિશે જણાવતાં અને રોજ આ રસ્તાનો ઉપયોગ કરતા રાકેશ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘દરરોજ હજારો લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે અને રોજ કોઈ ને કોઈ આ રસ્તા પર ઊખડી પડેલા પેવર બ્લૉકના કારણે પડતું જ હોય છે. વૃદ્ધ લોકો તો અહીંથી પીક-અવર્સમાં ચાલી જ શકતા નથી. ગટરોનાં ઢાંકણાં પણ અંદર ચાલ્યાં ગયાં હોવાથી પીક-અવર્સમાં જ્યારે ટ્રેનના પ્રવાસીઓ અહીંથી ચાલે ત્યારે કોઈ ને કોઈને તો  વાગતું જ હોય છે. હું તો દરરોજ અહીંથી ચાલું છું એમ છતાંય એક-બે વાર મને પગમાં માર વાગ્યો છે તો નવા કોઈ પ્રવાસીઓને અહીંથી ચાલતાં તેમનું ધ્યાન ન રહે તો પગમાં વાગવાનું જ છે. આ રસ્તો રેલવે બ્રિજ અને સ્ટેશનની બાજુમાં જ હોવાથી એનું મહત્વ તો સમજાય એમ જ છે. તેમ છતાંય પ્રશાસન એના પર ક્યારેય ધ્યાન આપતું નથી.’



Whatsapp-channel Whatsapp-channel

01 November, 2012 06:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK