Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સોમવારી બજાર બંધ કરવા નગરસેવકો આવ્યા રસ્તા પર

સોમવારી બજાર બંધ કરવા નગરસેવકો આવ્યા રસ્તા પર

04 October, 2012 07:33 AM IST |

સોમવારી બજાર બંધ કરવા નગરસેવકો આવ્યા રસ્તા પર

સોમવારી બજાર બંધ કરવા નગરસેવકો આવ્યા રસ્તા પર




પ્રીતિ ખુમાણ

મીરા રોડમાં દર સોમવારે ભરાતી સોમવારી બજારના કારણે આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ ભારે હેરાન થઈ ગયા છે. તેથી લોકોની સુરક્ષા, ટ્રાફિકની સમસ્યા તેમ જ આરોગ્યના પ્રfન સહિત જીવ જોખમમાં મુકાય એવી બજારને બંધ કરવાની માગણી સાથે નગરસેવકો રસ્તા પર ઊતરી આવ્યા હતાં.

મીરા રોડ રેલવે-સ્ટેશનથી લઈને શાંતિનગરના મોટા ભાગના પરિસરમાં દર સોમવારે ઠેકઠેકાણે ફેરિયાઓ બપોર પછી જ્યાં-ત્યાં બેસવા લાગે છે. મીરા રોડની સોમવારી બજાર ખૂબ પ્રખ્યાત હોવાથી લોકો દૂર-દૂરથી અહીં ખરીદી કરવા આવે છે. આ બજારમાં ખૂબ જ ઓછી કિંમતે બધી વસ્તુઓ મળી જતી હોવાથી લોકો ખરીદી કરવા પડાપડી પણ કરે છે.

મીરા-ભાઈંદર પ્રશાસન છેલ્લાં બે વર્ષથી બજારમાં બેસતા ફેરિયાઓ પાસેથી દંડ ભરીને ધંધો કરવાની પરવાનગી આપતી હોવાથી ફેરિયાઓએ અહીં પોતાનો અડ્ડો જમાવ્યો છે. વરલી, સાયન, વિરાર, કુર્લા, ભિવંડી જેવી દૂર-દૂરની જગ્યાઓથી ફેરિયાઓ આ બજારમાં સામાન વેચવા આવે છે. સોમવારે કોઈ પણ જગ્યાઓએ ફેરીવાળાઓ બેસતા હોવાથી અહીંના રહેવાસીઓએ નાકે દમ આવી ગયો છે. સોમવારે આ પરિસરમાં ચાલી પણ ન શકાય એવી હાલત હોય છે. બપોરથી જ ફેરિયાઓનો જોરદાર અવાજ, ટ્રાફિક થતો હોવાથી વાહનોનો અવાજ, ચાલવાની જગ્યા ન હોવાથી ધક્કા મારીને ચાલવું પડે છે; આ બધાને કારણે રહેવાસીઓ ત્રાહિમામ્ થઈ ગયા છે. રહેવાસીઓ દ્વારા ઢગલાબંધ ફરિયાદો થઈ હોવા છતાં પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી ન હોવાથી રહેવાસીઓએ ભારે નિરાશા વ્યક્ત કરી છે. અસંખ્ય ફેરીવાળાઓના કારણે ટ્રાફિક જૅમ થાય છે, ફેરિયાઓ આખા પરિસરમાં કચરો ઠાલવીને જતા રહે છે, ભીડ વધુ હોવાથી ચેઇન-સ્નૅચિંગ, મહિલાઓને છેડછાડ કરવા જેવા બનાવો; આવી ઘણી સમસ્યાઓને કારણે રહેવાસીઓ કંટાળી ગયા છે. કેટલીયે વાર રહેવાસીઓએ પોલીસ-સ્ટેશને પણ આ વિશે ફરિયાદ નોંધાવી છે. તેથી નવા ચૂંટાઈને આવેલા બીજેપી-સેનાના નગરસેવકોએ એક થઈને આ બજાર બંધ કરવાની માગણી પ્રશાસન પાસે કરી છે. તેમ જ નગરસેવકોએ રસ્તા પર ઊતરી તેમનો વિરોધ પણ દાખવ્યો હતો.

આ વિશે જણાવતાં બીજેપીના વૉર્ડ-ક્રમાંક ૩૭નાં નગરસેવિકા નયના વસાણીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ પરિસરમાં રહેતા લોકોની સંખ્યાબંધ ફરિયાદો અમને મળી હોવાથી આ પરિસરના બીજેપી-સેનાના નગરસેવકો એક થઈને બજારને બંધ કરવા રસ્તા પર ઊતર્યા હતા. અમે બધા મળીને મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં પત્ર આપ્યો છે. કોઈના પેટ પર લાત મારવી ન હોવાથી અમે ફેરીવાળાઓ તેમના ઝોનમાં ધંધો કરે એવી માગણી કમિશનરને કરી છે. એટલે ટૂંક સમયમાં રહેવાસીઓને દર સોમવારે થતી હેરાનગતિથી છુટકારો મળશે.’

પ્રશાસનનું શું કહેવું છે?

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર વિક્રમ કુમારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફેરીવાળાઓને હૉકર્સ ઝોનમાં હટાવવાના હોવાથી પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ થતાં જ કાર્યવાહી કરવામાં આવશે.’

બીજેપી= ભારતીય જનતા પાર્ટી


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2012 07:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK