Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નોત્સુક બ્રાહ્મણ યુવક-યુવતીના મેળાવડાને મળ્યો બહોળો પ્રતિસાદ

લગ્નોત્સુક બ્રાહ્મણ યુવક-યુવતીના મેળાવડાને મળ્યો બહોળો પ્રતિસાદ

30 December, 2011 08:47 AM IST |

લગ્નોત્સુક બ્રાહ્મણ યુવક-યુવતીના મેળાવડાને મળ્યો બહોળો પ્રતિસાદ

લગ્નોત્સુક બ્રાહ્મણ યુવક-યુવતીના મેળાવડાને મળ્યો બહોળો પ્રતિસાદ


 

બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાયેલા આ મેળાવડામાં ૬૦૦ જેટલાં લગ્નોત્સુક યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. ૧૯૯૨માં સ્થપાયેલા બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ દ્વારા આ વીસમો મેળાવડો હતો.

બોરીવલી (વેસ્ટ)ની ફૅક્ટરી લેનમાં આવેલી એમ. કે. હાઈ સ્કૂલમાં યોજાઈ ગયેલા આ મેળાવડા વિશે માહિતી આપતાં ગ્રુપના પ્રમુખ જયેન્દ્ર પી. મહેતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેળાવડામાં ૧૦૦૦ જેટલાં યુવક-યુવતીઓએ નામ નોંધાવ્યાં હતાં. જોકે પ્રત્યક્ષ રીતે ૬૦૦ યુવક-યુવતીઓ જ હાજર રહ્યાં હતાં. આમાં ૬૦ ટકા જેટલા યુવકો હતા તથા ૪૦ ટકા જેટલી યુવતીઓ હતી. આ પ્રકારનો અમારો આ વીસમો મેળાવડો છે. મેળાવડાને પચાસ ટકા જેટલી સફળતા મળે છે એમ અમારા અત્યાર સુધીના અનુભવમાં જણાયું છે.’

મુંબઈમાં વસતા કોઈ પણ ગુજરાતી બ્રાહ્મણ જ્ઞાતિનાં યુવક-યુવતીઓ આ મેળાવડામાં ભાગ લઈ શકે છે. ગ્રુપના કન્વીનર રમણીક ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘મેળાવડો એકદમ જ આયોજનબદ્ધ રીતે યોજવામાં આવે છે અને એના બે તબક્કા હોય છે. પ્રથમ તબક્કામાં યુવક-યુવતી પોતપોતાની ઓળખ આપે છે. બીજા તબક્કામાં પસંદ પડતાં યુવક-યુવતી કૉન્ફરન્સ મારફત એકબીજા વિશે વધુ જાણકારી મેળવે છે. અમારા ગ્રુપનાં

દેશ-વિદેશમાં મળીને ૧૪૦ કેન્દ્રો છે જે લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. વર્તમાન સામાજિક સમસ્યાનો આ એક ઉકેલ પણ છે.’

મુંબઈમાં બ્રાહ્મણોની આઠ લાખ જેટલી વસ્તી છે, જેમાંથી એક લાખ જેટલા બ્રાહ્મણો બોરીવલીમાં રહેતા હોવાનો અંદાજ છે.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2011 08:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK