લંડનસ્થિત વલ્ર્ડ ઇસ્લામિક ફોરમના ૬૬ વર્ષના ચૅરમૅન મૌલાના મન્સૂરીને મોદી સાથે કરેલી મીટિંગ વિશે કોઈ ખેદ નથી. તેમણે કહ્યું હતું કે મારી કોમના લોકોની ટીકા છતાં મેં યોગ્ય પગલું ભર્યું હતું. એ મીટિંગમાં મોદીએ ક્રોધિત મૌલાનાને શાંતિથી સાંભળ્યા હતા. હાલમાં અમદાવાદ આવેલા મૌલાનાએ એ મીટિંગ વિશે કહ્યું હતું કે ‘મોદીએ મને શાંતિથી સાંભળ્યા હતા અને કબૂલાત કરી હતી કે રમખાણો થવાં જોઈતાં નહોતાં. તેમણે મને શાંતિ અને વિકાસની ખાતરી આપી હતી. હું એ મીટિંગ બાદ મોદીને ફરી મળ્યો નથી. હું હોગની ઇન્ટરનૅશનલ ર્કોટ ઑફ જસ્ટિસમાં ફરિયાદ કરવાનું વિચારતો હતો, પરંતુ મને મોદી સાથે વાતચીત કરવાની તક મળી હતી અને મેં એ ઝડપી લીધી હતી.’ મૌલાના ૧૯૭૫થી ઇંગ્લૅન્ડમાં રહે છે અને તેઓ ઇસ્લામિક પાઠ્યક્રમનું આધુનિકીકરણ કરી રહ્યા છે.
હમણાં નહીં થાય મુંબઈમાં લૉકડાઉન, CMના અલ્ટિમેટમના 10 દિવસ થયા પૂરા
4th March, 2021 07:27 ISTલૉકડાઉનમાં 10 વર્ષના આ છોકરાએ ઉડિયામાં 104 પાનાંની રામાયણ લખી
2nd March, 2021 08:23 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTવાળ નહીં કપાવું એવું નક્કી કરનારા 10 વર્ષના છોકરાએ જ્યારે વાળ કપાવ્યા...
12th February, 2021 13:00 IST