Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરમાં પ્રવાસ ત્રાસદાયક

મીરા-ભાઈંદરમાં પ્રવાસ ત્રાસદાયક

29 September, 2011 07:40 PM IST |

મીરા-ભાઈંદરમાં પ્રવાસ ત્રાસદાયક

મીરા-ભાઈંદરમાં પ્રવાસ ત્રાસદાયક


 

સુધરાઈની બસસર્વિસ રામભરોસે અને માથાભારે રિક્ષાચાલકોની મનમાની




મીરા-ભાઈંદરમાં કોઈ પણ સમયે જઈએ તો રિક્ષા અને બસો માટે લાંબી કતારો લાગી હોય છે. એમાં પણ ખાસ કરીને મીરા-ભાઈંદરનાં સ્ટેશનો પાસે તો સાંજના સમયે રિક્ષા પકડવા માટે એટલી કતારો હોય છે કે ઊભા રહેવાની કે ચાલવાની જગ્યા હોતી નથી. રિક્ષા પકડવા લોકોએે અડધા કલાકથી વધારે ઊભા રહેવું પડે છે જેના કારણે ટ્રાકિક જૅમની સમસ્યા જોવા મળે છે. ઘણી વાર રિક્ષા પકડવા પડાપડી થતી હોય છે.

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનની ઝુંબેશ

છ દિવસમાં મીરા-ભાઈંદરમાં ૨૧,૦૦૦થી પણ વધારે લોકોએ ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના રિક્ષા બાબતે જાગૃતિ ફેલાવવાના સિગ્નેચર કૅમ્પમાં સાઇન કરી છે તથા ૨ ઑક્ટોબરના બપોરે ૩.૩૦ વાગ્યે મીરા રોડ ખાતે મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનને મીરા-ભાઈંદરના જુદા-જુદા ધર્મસંપ્રદાયનું પણ સમર્થન મળી રહ્યું છે.

રિક્ષા યુનિયનોનું શું કહેવું છે?

શાંતિનગર ઑટોરિક્ષા વેલ્ફેર અસોસિએશનના મહાસચિવ રાકેશ વિશ્વકર્માએ મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદરમાં જનસંખ્યા જેટલી દિવસે-દિવસે વધી રહી છે એની સરખામણીમાં રિક્ષાઓ ખૂબ જ ઓછી હોવાથી આજે મીરા-ભાઈંદરમાં સૌથી મોટી રિક્ષાની સમસ્યા છે. શાસને પરમિટ આપવાનું કેટલાય વખતથી બંધ કર્યું હોવાથી રિક્ષાઓ ઘણી ઓછી છે. એ ઉપરાંત સૌથી મોટી સમસ્યા જેનો રિક્ષાચાલકો સામનો કરે છે તે એ છે કે સીએનજી મેળવવા માટે રિક્ષાવાળાઓને ૪થી ૬ કલાક ઊભા રહેવું પડે છે.


એના કારણે પેટ્રોલ પમ્પ પર રિક્ષાઓની લાઇન જોવા મળે છે. ઉપરાંત અમને પણ ખબર છે કે મીરા-ભાઈંદરમાં રિક્ષાનાં ભાડાં વધારે છે તેથી અમે પણ ઇચ્છીએ છીએ કે મીરા-ભાઈંદરમાં  રિક્ષાઓ મીટર પર ચાલે, પણ આરટીઓ તરફથી અમને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાઓ મળતી નથી. આરટીઓએ પેપર પર લેખિત જણાવ્યું છે કે મીરા-ભાઈંદરની રિક્ષાઓ મીટર પર ચાલે છે, પણ હકીકતમાં એક પણ રિક્ષા મીટર પર ચાલતી નથી. ઉપરાંત રિક્ષાનું ભાડું અલગ-અલગ હોવાથી મોટા ભાગનાં રિક્ષા-સ્ટૅન્ડ પાસે રેટ-કાર્ડ જોવાં મળતાં નથી. રિક્ષાવાળાઓનું ફક્ત એટલું જ કહેવું છે કે આરટીઓ બેદરકારીભર્યું વર્તન રાખે નહીં અને લોકોની સમસ્યા તરફ વધુ ધ્યાન આપે. જો હજી પણ ધ્યાન આપશે નહીં તો આગામી સમયમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળશે.’

મીરા-ભાઈંદરની રિક્ષાઓની સમસ્યા

  • મીરા રોડમાં લગભગ ૩૬૨ અને ભાઈંદરમાં લગભગ ૫૨૨૪ રિક્ષાઓ રસ્તા પર દોડે છે. પરમિટ પર ચાલતી રિક્ષા કરતાં પણ ગેરકાયદે ચાલતી રિક્ષાઓનું પ્રમાણ વધારે છે.
  • મીરા-ભાઈંદરમાં વિવિધ પક્ષોનાં મળીને લગભગ ૨૦ની આસપાસ રિક્ષા યુનિયનો છે જેના કારણે રિક્ષાચાલકોને પ્રવાસીઓ સાથે તોછડાઈભર્યું વર્તન કરતાં બિલકુલ ડર લાગતો નથી.
  • ૧ એપ્રિલ ૨૦૦૮થી ૩૧ માર્ચ ૨૦૧૦ સુધીમાં ૮૨  પરમિટ સસ્પેન્ડ કરવામાં આવી હતી. જ્યારે ૧ એપ્રિલ ૨૦૧૦થી સપ્ટેમ્બર ૨૦૧૦ સુધીમાં ૩૧ પરમિટ સસ્પેન્ડ કરવામાં આવી હતી.
  • છેલ્લા ઘણા સમયથી રિક્ષાઓને પરમિટ આપવાનું શાસને બંધ કરી દીધું છે.
  • હેલ્પલાઇન માટેનો નંબર ૦૭૬૬૬૫૦૪૪૬૧ તથા ૦૯૬૧૯૧૪૭૯૭૭ છે જેના દ્વારા પ્રવાસીઓ આરટીઓને ફોન તેમ જ એસએમએસ કરી શકે છે, પણ આ નંબરો કોઈ કામના નથી. કેમ કે ક્યારેય ફોન લાગતા નથી અને લાગે તો કેટલાય સમય સુધી કોઈ ફોન ઉપાડતું પણ નથી.
  • ૮૦ ટકા રિક્ષાવાળાઓ અંધારું થયા પછી પણ આગળ કે પાછળની લાઇટો ચાલુ કરતા નથી.
  • રિક્ષાઓ મીટર પર ન હોવાથી રિક્ષાવાળાઓ મન ફાવે એટલું ભાડું પ્રવાસીઓ પાસેથી વસૂલે છે.
  • મીરા-ભાઈંદરના મોટા ભાગના શૅરિંગ રિક્ષા-સ્ટૅન્ડ પાસે રેટ-કાર્ડ (ભાડાનાં પાટિયાં) પણ નથી લગાડ્યાં .
  • મીરા-ભાઈંદરના કેટલાય પ્રવાસીઓએ ડિજિટલ મીટરની શાસન પાસે માગણી કરી હતી, પણ રિક્ષાવાળાઓ એનો ચોખ્ખો વિરોધ કરે છે.
  • મીરા-ભાઈંદરમાં કેટલીયે રિક્ષાઓ ગેરકાયદેસર રસ્તા પર દોડતી હોય છે, પણ એની કોઈ માહિતી છે જ નહીં.
  • મીરા-ભાઈંદરમાં ભાઈંદર-ઈસ્ટમાં સ્ટેશનની બહાર તેમ જ મીરા રોડમાં સ્ટેશનની બન્ને ટિકિટબારીઓ પાસે આવેલા રિક્ષા-સ્ટૅન્ડ પર શૅરિંગ રિક્ષા પકડવા માટે પ્રવાસીઓને ભારે ત્રાસ થાય છે, કારણ કે શૅરિંગ
  • રિક્ષાવાળાઓ મન હોય તો જ પ્રવાસીઓને તેઓ કહે ત્યાં છોડે છે.
  • મીરા-ભાઈંદરથી દહિસર ચેકનાકા અને દહિસર ચેકનાકાથી મુંબઈ તરફ જવાવાળી રિક્ષાઓ માટે પ્રવાસીઓ સૌથી વધારે હેરાન થતા હોય છે. ત્યાં ઊભા રહેતા રિક્ષાવાળાઓ મન ફાવે એટલું ભાડું વસૂલે છે અને ખાસ કરીને નાનાં બાળકો કે વૃદ્ધો સાથે હોય તો વધારે હેરાન કરતા હોય છે. દાખલા તરીકે દહિસર ચેકનાકાથી બોરીવલી સ્ટેશનની પાસે જવું હોય તો લગભગ ૧૦૦ રૂપિયાથી પણ વધારે ભાડુ વસૂલવામાં આવે છે. અહીં ઊભેલા રિક્ષાવાળાઓ પહેલાં લાંબા ગાળાના પ્રવાસીઓને મહkવ આપતા હોય છે.

 

Whatsapp-channel Whatsapp-channel

29 September, 2011 07:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK