ગુજરાતમાં આજે 1264 કોવિડ-19 દર્દીઓ સાજા થયા
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1112 કેસ નોંધાયા હતા આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3676 પર પહોંચ્યો છે, જોકે 1264 દર્દીઓ સાજા પણ થયા છે.
ગુજરાતમાં હાલ 13,985 એક્ટિવ કેસ છે, જ્યારે 1,47,572 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,916 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,65,233 પર પહોંચી છે.
ADVERTISEMENT
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1 અને ગાંધીનગરમાં 1 મળી કુલ 6 લોકોનાં મોત થયા હતા. સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 166, વડોદરા કોર્પોરેશન 80,સુરત 70, રાજકોટ કોર્પોરેશન 69, વડોદરા 41, રાજકોટ 38, જામનગર કોર્પોરેશન 37, મહેસાણા 37, સાબરકાંઠા 34, ભરૂચ 24, બનાસકાંઠા 23, પાટણ 21, સુરેન્દ્રનગર 21, ગાંધીનગર 20, નર્મદા 20, પંચમહાલ 19, અમરેલી 18, ગાંધીનગર કોર્પોરેશનમા 18 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં આજે કુલ 1264 દર્દી સાજા થયા હતા અને 52,947 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 55,38,392 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 89.31 ટકા છે.