દિલ્હી આગમાં મૃતકોના પરીવારજનોને 10-10 લાખનું વળતર અપાશે : CM કેજરીવાલ
અરવિંદ કેજરીવાર ઇજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચ્યા (PC : ANI)
દિલ્હીમાં ઝાંસી રોડ બજારમાં રવિવારે લાગેલી ભયાનક આગમાં 43 લોકો ઉંઘમાં જ ભડથું થઇ ગયા હતા. જોકે આ ઘટનામાં 65 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટના બાદ દિલ્હીની મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મૃતરોના પરિવારજનોને 10-10 લાખ અને ઇજાગ્રસ્તોને 1-1 લાખના વળતરની જાહેરાત કરી હતી. એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છેજેમે લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હોર્ડિંગ હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા છે.
Delhi fire incident: Chief Minister of Delhi Arvind Kejriwal met the injured admitted at LNJP hospital #DelhiFire pic.twitter.com/zGH81wp1Qw
— ANI (@ANI) December 8, 2019
ADVERTISEMENT
ઘટનાને પહલે મુખ્યપ્રધાન કેજરીવાલે આ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે 7 દિવસમાં રિપોર્ટ આપવામાં આવે અને કહ્યું હતું કે આગની ઘટનાના દોષીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવશે. ઘટના સ્થળેથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એલએનજેપી હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા.
આ પણ વાંચો : દિલ્હીમાં 22 વર્ષ બાદ બની મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં આગ લાગતા 43 લોકો ભડથું
ભાજપ મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા આપશે
ઘટનાસ્થળે પહોંચેલી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું 'આ દર્દનાક સમાચાર છે. અત્યારે કોણ જવાબદાર છે કહી ન શકાય. તપાસ રિપોર્ટની રાહ જોઇ જોઇએ. અમે આ દુખદ ઘડીમાં વેદના વ્યક્ત કરીએ છીએ. અમે પીડિત પરિવાર સાથે ઉભા છીએ. અમે પાર્ટી તરફથી મૃતક પરિવારો માટે 5-5 લાખ રૂપિયા આપીશું અને ઇજાગ્રસ્તોને 25-25 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરીએ છીએ.