Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ઓછા ખર્ચે કરો વિદેશ યાત્રા, પહાડીઓમાં વસેલા નેપાળની લો મુલાકાત

ઓછા ખર્ચે કરો વિદેશ યાત્રા, પહાડીઓમાં વસેલા નેપાળની લો મુલાકાત

27 April, 2019 04:25 PM IST | નેપાળ

ઓછા ખર્ચે કરો વિદેશ યાત્રા, પહાડીઓમાં વસેલા નેપાળની લો મુલાકાત

નેપાળ

નેપાળ


નેપાળ બહુ જ શાંત અને સુંદર જગ્યા છે. જેને જોઈને તમે પહાડીઓથી લઈને ભીડભાડ વાળી જગ્યાઓની મુલાકાત લઈ શકો છો. નેપાળ ખાસ કરીને મંદિરો માટે ફૅમસ જગ્યા છે અને અહીંયા બૌદ્ધ સ્તૂપો તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંયાનું કલ્ચર અને ખાનપાન ઘણ ભારત જેવું જ છે. એટલે તમને અહીંયા આવીને ખાવા-પીવાની મુસબીત નહીં થાય. નેપાળ ફરવાની પ્લાનિંગ તમે ક્યારે પણ કરી શકો છો. તો આવો જાણીએ નેપાળમાં ફરવાલાયક ખાસ જગ્યાઓ કઈ છે.

nepal_02



નાગરકોટ


કાઠમંડૂથી 35 કિમી દૂર નાગરકોટથી માઉન્ટ એવરેસ્ટ અને હિમાલયના ઉચ્ચશિખરને જોવાનો આનંદ લઈ શકો છો. નાગરકોટ પશ્ચિમમાં કાઠમંડૂ ઘાટ અને પૂર્વમાં ઈન્દ્રાવતીની વચ્ચે સ્થિત છે. સમુદ્રથી 2229 મીટર ઉંચા નાગરકોટથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો બહુ જ સુંદર દેખાય છે.

nepal_03


પશુપતિનાથ

કાઠમંડૂથી 6 કિમી દૂર પશુપતિનાથ બહુ જ મોટું મંદિર છે. અહીંયા ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત છે. આ મંદિર બાગમતી નદીના તટ પર સ્થિત છે અને લીલા વાદી દ્વારા ઘેરાયેલા વાદળો જોવા મળશે. આ પગૌડા શૈલીમાં નિર્મિત છે. પશુપતિનાથ મંદિર લગભગ એક મીટર ઉંચા ચબૂતર પર બન્યા છે. શિવરાત્રીના દિવસે મંદિરમાં શ્રદ્ધાળુઓની બહુ જ વધારે ભીડ જોવા મળે છે.

nepal_04

પોખરા ઘાટી

પોખરા ઘાટી નેપાળના સૌથી જાણીતા પર્યટન સ્થળોમાંથી એક છે. અહીંયાથી હિમાલયના ઉચ્ચ શિખરોને સરળતાથી જોઈ શકાયછે. અહીંયાથી માઉન્ટ મચ્છાપુચારેને જોવાનો પણ એક અલગ જ અનુભવ છે.

nepal_05

બૌદ્ધનાથ

કાઠમંડૂથી 11 કિમી દૂર બનેલો આ સ્તૂપ દુનિયાના સૌથી મોટા સ્તૂપોમાંથી એક છે. આ બુદ્ધની આંખના નામથી ઓળખાય છે, જે ચારો દિશાઓમાં ખુશી અને સંપન્નતા વિભાજીત કરે છે. કહેવાય છે કે દેવી મની જોગિનીના કહેવા પર રાજા મને એને બનાવ્યું હતું. મંદિરની ચારેતરફ લામા અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ બન્યા છે.

nepal_06

પાટન

કાઠમંડૂ શહેરથી 5 કિમી દૂર વસેલા પાટનને લલિતપુરના નામથી પણ ઓળખાય છે. આ ખાસ કરીને ચાર બૌદ્ધ સ્તૂપ માટે જાણીતું છે, જે અશોક દ્વારા બનાવવામાં આવ્યું છે. તિબેટીયન રેફ્યુજી સેન્ટર અને હસ્તકલાના વિશિષ્ટ નમૂનાને જોવા માટે પાટન કરતાં વધુ સારી જગ્યા નથી. અહીંયા હાથથી બનેલી કાર્પેટ અને મેટલના સ્ટેચ્યૂ જોઈ શકાય છે.

nepal_07

લુંબિની

નેપાળ ખાસ કરીને ભગવાન બુદ્ધના પવિત્ર સ્થાનો માટે જાણીતું છે. એ સિવાયા પહાડ અને તે ફક્ત પ્રાચીન વારસા માટે પ્રસિદ્ધ છે. બુદ્ધ એક મોટા શાહી પરિવારમાંથી હતા. તેના જન્મના થોડા જ સમય પછી, પોતાના પગ જ્યાં-જ્યાં મૂક્યા ત્યા કમળ ખીલી ગયા હતા. લુંબિનીનું વિશેષ આકર્ષણ 8 ચોરસ કિલોમીટરથી વધુ ફેલાયેલો બગીચો છે. અહીં માયાદેવી મંદિર પણ જોવા લાયક છે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2019 04:25 PM IST | નેપાળ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK