મગજ પર ચડી ગઈ છે ભાંગ તો આ ટિપ્સ ઉતારશે નશો
ધુળેટીની મજા ભાંગ લેવાથી બની સજા?
ભાંગનો નશો ઘણી વાર માનસિક સ્થિતિ બગાડી દેતો હોય છે. ભાંગ પીવાની ઈચ્છા તો લગભગ દરેકને થતી હોય છે પણ ભાંગથી નશો થયા પછી જે તેને પરિણામો આવે છે તેનો ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે. જે સતત ભાંગ લેતાં હોય છે તે યોગ્ય પ્રમાણમાં જ ભાંગ લે છે અને હોળી-ધુળેટી કે શિવરાત્રી વખતે જે ભાંગ આપવામાં આવે છે તે ખૂબ જ માઈલ્ડ હોય છે તેમાં ભાંગનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જેના કારણે લોકો તેને લઈ શકે અને તેનાથી તેમને નશો પણ ન થાય. પરંતુ જો તમે સીધે સીધી ભાંગ લઈ લીધી હોય તો તેનો નશો તમારા મગજની નસો હલાવી શકે છે. એવામાં જો ભાંગનો નશો ઉતારવો હોય તો આ છે કેટલા ઘરગથ્થુ ઉપાયો જે ભાંગનો નશો ઉતારવામાં મદદરૂપ થઈ શકે છે.
1. લીંબુ પાણી- લીંબુ સીધેસીધું પણ લઈ શકાય છે અને તેનું રસ કાઢીને પાણી મિક્સ કર્યા વગર લેવાથી જલ્દી અસર કરે છે પણ જો એમ ન લઈ શકાતું હોય તો પાણી નાંખીને પણ લીંબુપાણી પી શકાય છે. લીંબુ ચાટવાથી પણ ઘણા લાભ થાય છે.
ADVERTISEMENT
2. ખાટી વસ્તુઓથી નશો જલ્દી ઉતરે છે. જેમ કે આપણે જોયું લીંબુ પછી છાશ, આંબલી, આમળા, કાચી કેરી વગેરે જેવી વસ્તુઓથી ઉતરશે ભાંગને નશો.
3. તમને જાણીને અચરજ થશે પણ નારિયેળ પાણી પણ નશો ઉતારવામાં બની શકે છે મદદરૂપ. નારિયેળ પાણી પીવાથી શરીરને પૂરતા ઈલેક્ટ્રોલેટ્સ અને મિનરલ્સ તો મળે જ છે પણ તેની સાથે સાથે તે શરીરમાં ઉપજેલી ડ્રાયનેસને દૂર રાખે છે અને આ શરીર માટે લાભદાયક રહે છે.
આ પણ વાંચો : હોળી રમતાં પહેલા અને પછી આ રીતે કરો તમારા વાળની કૅર
4. આગળ જોયું તેમ ખાટી વસ્તુઓ નશો ઉતારવામાં મદદરૂપ બનતી હોય છે તો તેમાં વધુ વિકલ્પ તરીકે તમે ખાટાં ફળોનું સેવન કરીને પણ ભાંગના નશા પર કાબુ મેળવી શકો છો. જેમ કે દ્રાક્ષ, સંતરા, કેરી, લીંબુ વગેરે.
5. આદુ પણ નશો ઉતારવામાં માહેર ગણાય છે જો કોઈને ભાંગનો નશો થયો હોય અને તમે તેને ચપટી આદુ ખવડાવી દો તો ગમે તેવો નશો હોય તે ઉતરી જ જાય.