પનીર-મેથી પરાઠા
ADVERTISEMENT
- મીતા ભરવાડા
સામગ્રી
- એક કપ મેંદાનો લોટ
- ૫૦ ગ્રામ પનીર
- પા કપ સમારેલી મેથી
- અડધી ચમચી અજમો
- અડધી ચમચી લાલ મરચું
- પા ચમચી મરી-પાઉડર
- પા ચમચી સાકર
- અડધો કપ દૂધ
- એક ચમચી તેલ
- મીઠું સ્વાદ પ્રમાણે
- શેકવા માટે ઘી
રીત
સૌપ્રથમ પનીરને ખમણી અલગ રાખો. સમારેલી મેથીમાં થોડું મીઠું નાખી બે મિનિટ એમ જ રહેવા દો. હવે એને નિચોવી અલગ રાખો. હવે એક પૅનમાં મેંદાનો લોટ લઈ એમાં ખમણેલું પનીર, મેથી, અજમો, લાલ મરચું, મરી-પાઉડર, સાકર અને મીઠું નાખી મિક્સ કરો. હવે એમાં તેલ ઉમેરી દૂધથી લોટ બાંધો. ૧૦ મિનિટ રહેવા દો. હવે એના લૂઆ પાડી પરાઠાની જેમ વણો. હવે એક નૉન-સ્ટિક તવી ગરમ કરી વણેલા પરાઠાને બન્ને તરફ કાચા-પાકા શેકો. પછી એના પર ઘી લગાવી બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકો. રાયતા સાથે પીરસો.