આ મંદિરમાં ભક્તોને પ્રસાદની જગ્યાએ મળે છે સોનાના સિક્કા અને ઘરેણા
ભારતમાં એવા ઘણા મંદિર છે જે અનોખા છે. એવુ જ એક મંદિર છે મધ્ય પ્રદેશના રતલામ શહેરનું માણક છે. સામાન્ય રીતે આપણે મંદિરમાં જઈએ ત્યારે આપણને પ્રસાદી સ્વરૂપે મિઠાઈ કે કોઈ ખાવાની વસ્તુ આપે છે. પણ મહાલક્ષ્મીના આ મંદિરની ખાસિયત એ છે કે, અહી આવનારા ભક્તોને પ્રસાદી સ્વરૂપે ઘરેણા આપવામાં આવે છે. અહીં આવનારા ભક્તો સોના-ચાંદીના સિક્કા ઘરે લઈને જાય છે. મહાલક્ષ્મીના આ મંદિરમાં વર્ષોથી ભક્તોની ભીડ રહે છે. ભક્તો આવીને કરોડો રૂપિયા અને ઘરેણા માતાના ચરણોમાં ચઢાવતા હોય છે.
દિવાળી દરમિયાન આ મંદિરમાં ધનતેરસથી લઈને આવનારા 5 દિવસ સુધી દિપોત્સવનો આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મંદિરમાં ફૂલોથી નહી પરંતુ ભક્તો દ્વારા ચઢાવેલા ઘરેણા અને રુપિયાથી સજાવવામાં આવે છે. દિપોત્સવ દરમિયાન મંદિરમાં કુબેરનો દરબાર લગાવવામાં આવે છે. આ દરમિયાન અહી આવનારા ભક્તોને પ્રસાદ સ્વરૂપે ઘરેણા અને રૂપિયા આપવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ
દિવાળીના દિવસે આ મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા રહે છે. માનવામાં આવે છે કે, ધનતેરસ પર મહિલા ભક્તોને અહી કુબેરની પોટલી આપવામાં આવે છે. અહી આવનારી કોઈ પણ ભક્ત ખાલી હાથે નથી જતો તેને પ્રસાદી સ્વરૂપે કઈક ને કઈક આપવામાં આવે છે. મંદિરમાં ઘરેણા અને રુપિયા ચઢાવવાની પરંપરા દશકોથી ચાલતી આવી રહી છે. માનવામાં આવે છે કે માતાના ચરણોમાં પૈસા કે ઘરેણા મુકવાથી ઘરોમાં લક્ષ્મીની કૃપા બની રહી છે.