Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

22 December, 2019 08:10 AM IST | Mumbai
Jyotishacharya Ashish Rawal And Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

રાશિફળ


મેષ (અ,લ,ઈ): યાત્રા-પ્રવાસ યાદગાર રીતે સફળ બને. અંગત સંબંધોમાં સામાન્ય કડવાશ અનુભવાય. જૂના રોગમાંથી આંશિક રાહત જણાશે. નિત્ય ઈસ્ટ સુમીરનથી માનસિક શાંતિ લાગે.

વૃષભ (બ,વ,ઉ): સંયુક્ત પરિવારમાં કલેશ વધે. ધંધા-વ્યવસાયમાં દિવ્ય આનંદમય સમય જણાશે. અટકેલાં કાર્યો નવી રીતે પૂર્ણ થાય. શુક્રવારનું એકટાણું કરવાથી શીઘ્ર ધનલાભ.



મિથુન (ક,છ,ઘ): પારિવારિક સુખ ઉત્તમ જણાય. નવા સંબંધોમાં આંધળુકિયા નિર્ણય લેવાય. નોકરીના કાર્યક્ષેત્રમાં બઢતી-બદલીની સંભાવના. દેવ-મંદિરમાં દર્શન નિત્ય કરવા.


કર્ક (ડ,હ): નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં વધુ કાર્યભાર જણાય. નવી-નવી તકોનું સર્જન થાય. આરોગ્યને લગતા કોઈ પણ લખાણની અવગણના ન કરવી. જમીન-મકાન સંપત્તિ દ્વારા આવક પ્રાપ્ત થાય. આગામી સપ્તાહે મનોરંજન પાછળ ખર્ચ વધે નહીં તેની અવશ્ય તકેદારી રાખવી.

સિંહ (મ,ટ): કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય. દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહે. ખાનપાનમાં વિશેષ કાળજી રાખવી.


કન્યા (પ,ઠ,ણ) : મનમાં વિચારો સતત આવ્યા કરે. પેટ, કમર, મસ્તકમાં દર્દની પીડા વધ્યા કરે. ગાયને નિયમિત ઘાસ ખવડાવો.

તુલા (ર,ત): આકસ્મિક ઉપાધિ-ચિંતા આવે. વધારાના કામમાં બરકત ન આવે. બૅન્કનાં કામો સરળતાથી પૂર્ણ થાય. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાથી શીઘ્ર ધનપ્રાપ્તિ.

વૃશ્ચિક (ન,ય): સાંજ પડતાંની સાથે માનસિક ચિંતા-ઉચાટ રહ્યા કરે. બંધનમાં ન હોવા છતાં બંધનમુક્ત જેવી પરિસ્થિતિ રહે. વાહન ચલાવતા પડી જવાય. દેવમંદિરના ઝઘડાની પતાવટમાં પડવું નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ): વાતવાતમાં ઉશ્કેરાટ, ગુસ્સો આવે. સામેની વ્યક્તિની ભૂલના કારણે નુકસાની આવી પડે. કોઈ પણના દોરવાયા દોરવાઈ જવું નહીં.

મકર (ખ,જ): વિવાદ, બીમારીમાં વધારો થાય. પોતાની વાત સામેની વ્યક્તિ સમજી ન શકે. સગાં-સંબંધી, મિત્રના કામકાજમાં ઉચાટ રહ્યા કરે. શનિદેવને ૨૧ લગની પડીકી બનાવી અર્પણ કરવી.

કુંભ (ગ,સ,શ) : રસ્તામાં આંખમાં તકલીફ વધે. કોઈ પણ નિર્ણય ખોટો લેવાય. વધારે મુશ્કેલીનો અનુભવ થાય. અપેક્ષિત રકમ મળવાના છેલ્લા સમયે ન મળે. હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરવાથી બાકી કામ ઉકેલાય.

મીન (દ,ચ,ઝ,થ): રોકાણોમાં નજીવું નુકસાન થાય. રાત્રે ઊંઘ ઓછી આવે. વારંવાર ઘરમાં ઈલેક્ટ્રિક ચીજવસ્તુઓ બગડે. ગુરુવારે ચણાની દાળનું બ્રાહ્મણને દાન કરવું.

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2019 08:10 AM IST | Mumbai | Jyotishacharya Ashish Rawal And Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK