Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ભારતે લોન્ચ કર્યો નવો સંચાર ઉપગ્રહ GSAT-31

ભારતે લોન્ચ કર્યો નવો સંચાર ઉપગ્રહ GSAT-31

06 February, 2019 06:38 PM IST |

ભારતે લોન્ચ કર્યો નવો સંચાર ઉપગ્રહ GSAT-31

GSAT-31 સફળતાપૂર્વક લોન્ચ

GSAT-31 સફળતાપૂર્વક લોન્ચ


ભારતે આજે નવો સંચાર ઉપગ્રહ GSAT-31ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. GSAT-31ને ISROએ યૂરોપિયન કંપની અરિયનસ્પેશની મદદથી આજે લોન્ચ કર્યો હતો. GSAT-31 લોન્ચ થવાના કારણે ટીવી અપલિંકિંગ ડીટીએચ અને એટીમ સુવિધાઓ સધરશે.

GSAT-31ની ખાસિયતો



- GSAT-31 15 વર્ષ સુધી અતંરીક્ષમાં સેવા આપશે. આ ઉપગ્રહનું વજન 2,535 કિલોગ્રામ છે. GSAT-31 ભારતનો 40મો ઉપગ્રહ છે. આ સેટેલાઈટની મદદથી મોબાઈલ નેટવર્કમાં સુધારો આવશે અને કોલ ડ્રોપની સમસ્યાઓ પણ ઓછી થશે. આ સાથે જ આ ઉપગ્રહનો ઉપયોગ સ્ટોક એક્સચેન્જમાં પણ કરવામાં આવશે. આ ઉપગ્રહનો સૌથી વધુ ઉપયોગ અરબ સાગર, બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના વિસ્તારોમાં કરાશે.


- અતંરીક્ષમાં રહેવા માટે GSAT-31ને 4.7 કિલોવૉટ પાવરની જરૂર પડશે. આ ઉપગ્રહમાં ફ્રિક્વન્સી કવરેજ અને ઑર્બિટલ લોકેશનને ધ્યાનમાં રાખીને વધારે ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સાથે કેયૂ બૈંડ સ્પેક્ટ્રમના કેટલાક ભાગનો પહેલી વાર ભારતીય ઉપગ્રહોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

 


આ પણ વાંચો: મેડિકલ ક્ષેત્રની આ ટેક્નીકથી સર્જરીના ખર્ચમાં થશે 70 ટકાનો ઘટાડો

 

 - GSAT-31 સેટેલાઈટને ISROના પરિષ્કૃત I-2 બેઝ પર સ્થાપિત કરવામાં આવ્યો છે અને આ ઉપગ્રહને અરિઅન-5 લોન્ચ વ્હીકલ દ્વારા અંતરીક્ષમાં મોકલવામાં આવ્યો હતો. GSAT-31 સાથે સાઉદી અરબનો જિયોસ્ટેશનરી સેટેલાઈટ 1 પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2019 06:38 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK