Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > શ્રાવણમાં કરો બિલિપત્રના ચમત્કારિક ઉપાય, થશે ઘણા ફાયદા

શ્રાવણમાં કરો બિલિપત્રના ચમત્કારિક ઉપાય, થશે ઘણા ફાયદા

08 August, 2019 11:54 AM IST | Ahmedabad

શ્રાવણમાં કરો બિલિપત્રના ચમત્કારિક ઉપાય, થશે ઘણા ફાયદા

શ્રાવણમાં કરો બિલિપત્રના ચમત્કારિક ઉપાય, થશે ઘણા ફાયદા


Ahmedabad : શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે એક તહેવારની જેમ ઉજવે છે અને શિવજીની ખરા મનથી પુજા કરે છે. આમ તો શ્રાવણ ઉપરાંત પન શિવને બેલપત્ર અર્પિત કરવામાં આવે છે. પણ શ્રાવણ મહિનાની વાત જ કંઈક બીજી છે. જો શ્રાવણમાં આ વિધિથી શિવજીને બેલપત્ર અર્પિત કરવામાં આવે તો સિવજી પ્રસન્ન થઈને મહાદેવ ભ્કત જે વસ્તુની કામના કરે તે ઈચ્છા પૂરી કરી નાખે છે.

શિવ પુજાનમાં બિલિપત્ર શિવજીને અર્પિત કરવાથી શિવજી પ્રસન્ન થાય છે

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવના પૂજનમાં બિલિપત્ર શિવજીને અર્પિત કરવાની સૌથી પ્રિય વસ્તુ છે. શિવલિંગ પર બેલપત્ર અર્પિત કરવાથી શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે મહાદેવ. માન્યતા છે કે શિવની ઉપાસના બિલિપત્ર વગર પુરી થતી નથી. બેલના વૃક્ષના પાનને બિલિપત્ર કહે છે. બિલિપત્રમાં ત્રણ પત્તીયો એક સાથે જોડાયેલી હોય છે. પણ તેને એક જ પાન માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજા બિલિપત્ર વગર પૂરી નથી મનાતી.


બિલિપત્ર શિવલિંગ પર અર્પિત કરતી વખતે આ વાતોનુ ધ્યાન રાખો

1. એક બિલિપત્રમાં ત્રણ પાન હોવા જોઈએ
2. બિલિપત્રના પાન કપાયેલા કે તૂટેલા કે કાણાવાળ ન હોવા જોઈએ.
3. ભગવાન શિવને બિલિપત્ર લીસી બાજુથી અર્પિત ન કરશો
4. એક જ બિલિપત્રને પાણીથી ધોઈને વારંવાર ચઢાવી શકાય છે.
5. એક સાથે ઢગલો બિલિપત્ર શિવલિંગ પર ન ચઢાવશો
6. હંમેશા એક એક કરીને ૐ નમ શિવાય મંત્રનુ ઉચ્ચારણ કરતા બિલિપત્ર અર્પિત કરો
7. બિલિપત્ર હંમેશા 1,5,7,11, 21, 51 કે 108ની સંખ્યામાં જ શિવલિંગ પર અર્પિત કરો.

આ પણ જુઓ : શ્રાવણના પહેલા સોમવારે કરો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન

બિલિપત્રના અન્ય લાભ

1 બિલિપત્ર શિવની પૂજા ઉપરાંત તેનાથી અનેક રોગ પણ ઠીક થાય છે
2 બિલિપત્ર તમામ ઔષધિઓમાં પણ કામ આવે છે. તેને ખાવાથી આરોગ્ય સાથે જોડાયેલ તમામ સમસ્યાઓ ઝડપથી દોરો થાય છે
3 બિલિપત્રનો રસ આંખમાં નાખવાથી આંખોની જ્યોતિ વધે છે
4 બિલિપત્રનો કાઢો મધમા મિક્સ કરીને પીવાથી ખાંસીથી રાહત મળે છે
5 સવારે 11 બિલિપત્રનો રસ પીવાથી જૂનામાં જૂનો માથાનો દુખાવો પણ દૂર થઈ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2019 11:54 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK