હોળી 2019 : હોળી રમતા જો ફોન પલળે તો ચિંતા ન કરો, આ સ્ટેપ્સ કરો ફૉલો
સ્માર્ટફોન પડ્યો પાણીમાં?
હોળી દરમિયાન લોકો એકબીજા પર પાણી નાંખતા હોય છે. એવામાં જો તમારા ખિસ્સામાં તમારો ફોન રહી ગયો હોય તો તેમાં પાણી જઈ શકે છે. તેથી ફોનમાં રહેલ ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ પણ ખરાબ થઈ શકે છે. જો કે, આવું ન બને તે માટે આ માહિતી આપી રહ્યાં છીએ. જો તમારી સાથે પણ એવું બને તો આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ અથવા એવા કયા સ્ટેપ્સ ફોલો કરવા જેનાથી તમે તમારો ફોન ઘરે જ રિપેર કરી શકો છો.
ફૉલો કરો આ ટિપ્સ
ADVERTISEMENT
1. જો ફોનમાં પાણી ગયું છે તો તેને ડ્રાયરથી સુકાવવાની ભૂલ ન કરવી. ડ્રાયરની ગરમ હવાથી ફોનના સર્કિટ્સ પીગળી શકે છે.
2. ફોનમાં પાણી જાય તો તરત જ ફોન બંધ કરી દેવો. સાથે જ કોઈ પણ બટનનો ઉપયોગ ન કરવો. જો ફોન ઓન રહેશે તો શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહે છે.
3. ફોનમાં રહેલ હેડફોન જેક અને ફોનના યૂએસબી પોર્ટનો ઉપયોગ પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયા પછી જ કરવો. એમ ન કરવાથી ફોનના ઈન્ટર્નલ પાર્ટ્સ ખરાબ થઈ શકે છે.
4. ફોનમાં જો કોઈ એસેસરીઝ જેમ કે બેટરી, મેમરી કાર્ડ વગેરે લાગેલ હોય તો તેને છુટ્ટા પાડી દેવા. સાથે જ તેને જુદા જુદા ટુવાલ પર રાખવા. ફોનના બદાં જ પાર્ટને સારી રીતે સૂકવવા ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો : હોળિકા પૂજનથી થશે શનિ દોષનું નિવારણ, પરિક્રમાની સંખ્યાથી થશે લાભ
5. ફોનના ઈન્ટર્નલ પાર્ટ્સનો સૂકવવા પણ એટલા જ જરૂરી છે. તે માટે તમારે સુકાયેલા ચોખા કોઈ વાસણ કે પૉલિથિનમાં લેવા અને તેમાં ફોન મૂકવો. જણાવીએ કે ચોખા જલ્દીથી મોઈશ્ચર શોષી લેતાં હોય છે.
6. તો ચોખાના વાસણને બદલે સિલિકા જેલ પેકનો ઉપયોગ પણ કરી શકાય છે. આ પેક્સ પણ મોઈશ્ચર જલ્દીથી શોષી લે છે.
7. સિલિકા પેક કે ચોખાના વાસણમાં ફોન ઓછામાં ઓછા 24 કલાક માટે મૂકવો. જ્યારે ફોન એકદમ સુકાઈ જાય ત્યારે તેને ઑન કરવો.
નોટ : જો આ બધું કર્યાં છતાં ફોન ઑન ન થાય કે બીજી કોઈ મુશ્કેલી આવે તો ફોન સર્વિસ સેન્ટરમાં બતાવી દો