Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન ગોળીને કારણે ડીલે થઈ જાય?

શું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન ગોળીને કારણે ડીલે થઈ જાય?

03 March, 2021 11:16 AM IST | Mumbai
Dr.Ravi Kothari

શું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન ગોળીને કારણે ડીલે થઈ જાય?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલ : મારી ઉંમર ૪૨ વર્ષ છે. લગ્નને પંદર વર્ષ થયાં છે અને હવે ઉત્તેજના લાંબો સમય ટકાવવામાં મુશ્કેલી પડે છે. પત્નીને તો વાંધો નહોતો, પણ મને એવું લાગતું હતું કે જોઈએ એટલો સમય લંબાવી શકાતું નથી. એ માટે હાલમાં ડેપોક્સિટિન ગોળી સમાગમ પહેલાં લેવાનું શરૂ કર્યું છે. આ દવા એમ જ નથી લીધી. મારાં ફૅમિલી ડૉક્ટરને પૂછ્યું છે અને તેમણે જ મને આ ગોળી લખી આપી છે. તેમણે મને સાંજે ગોળી લેવાનું કહ્યું હતું જેથી રાતે અસર સારી રહે અને ઉત્તેજના વધુ ટકે. જોકે એવું જોયું છે કે ગોળી લીધા પછી મને ખૂબ બગાસાં આવે છે ને આખી સાંજ સાવ જ સુસ્તીભરી જાય છે. કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું હોય તો એમાં મગજ કૉન્સન્ટ્રેટ નથી કરી શકાતું. બીજું, આ ૬૦ મિલીગ્રામની ગોળી લીધા પછી સમાગમ ખૂબ લાંબો ચાલે છે. શું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન આ ગોળીને કારણે ડીલે થઈ જાય? શું દવા લેવાની અસરને કારણે આવું થાય?
જવાબ : સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે ડેપોક્સિટિન એ પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશન માટેની દવા છે. જો ઉત્તેજના પૂરતી આવતી હોય પણ વહેલું સ્ખલન થઈ જતું હોવાથી સમાગમ સંતુષ્ટિ સુધી ન પહોંચી શકાતું હોય તો આ ગોળી લેવાય. આ ગોળીની આડઅસર રૂપે સુસ્તી અને બગાસાં આવે છે. જોકે તમે રાતની તૈયારી રૂપે છેક સાંજે જ આ ગોળી લઈ લો છો એવું કરવાની જરૂર નથી. તમે સમાગમના એક કલાક પહેલાં પણ આ ગોળી લઈ લો તો ચાલી જાય. બીજું, જો તમને ૬૦ મિલીગ્રામની દવાથી ઇજેક્યુલેશન વધુપડતો લંબાઈ જતો હોય અને સ્ખલન થવામાં વધુ સમય લાગતો હોય તો દવાનો ડોઝ ઘટાડી દેવો જોઈએ.
આઇડિયલી કોઈ પણ દવાની શરૂઆત હંમેશાં ઓછા ડોઝથી જ કરવી જોઈએ. તમે ૩૦ મિલીગ્રામ લેશો તોપણ કામ ચાલી જશે. આટલા ડોઝની અસર ન થાય તો તમે વધુ મિલીગ્રામની દવા લો, એમ જ હાઈ ડોઝની દવા લેવાની જરૂર નથી. બીજું, જો દવા લેવાથી તમને વિલંબિત સ્ખલન થતું હોય તો નિયમિતપણે આ ગોળીની આદત પાડવાની પણ જરૂર નથી. ઘણી વાર ઍન્ગ્ઝાયટીને કારણે વહેલું સ્ખલન થઈ જતું હોય તો કૉન્ફિડન્સ પાછો મેળવવા માટે આ દવાનો સહારો લેવો પડે છે. એક વાર આત્મવિશ્વાસ પાછો આવી જાય પછીથી રોજ આ દવા લેવાની જરૂર નથી.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2021 11:16 AM IST | Mumbai | Dr.Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK