Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?

ઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?

24 February, 2021 11:52 AM IST | Mumbai
Dr.Ravi Kothari

ઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલ : મારી ઉંમર ૬૧ વર્ષ છે અને લગભગ એક દાયકાથી બ્લડ-પ્રેશરનો દરદી છું. દવાથી બધું કન્ટ્રોલમાં રહે છે. મને છેલ્લા ચારેક મહિનાથી છાતીમાં ક્યારેક ઝીણો દુખાવો થાય છે. ફૅમિલી-ડૉક્ટરનું કહેવું છે કે ઍન્જાઇનાનું પેઇન છે. જ્યારે આવું થાય ત્યારે એક ગોળી લેવા આપી છે. તમને પૂછવાનું કારણ એ કે હમણાંથી ક્યારેક સેક્સ દરમ્યાન અચાનક જ જાણે છાતી ભારે થઈ ગઈ હોય એવું લાગે છે. એવા સમયે પેલી ગોળી લઈ લઉં છું. જોકે અધવચ્ચે એમ કરવા જતાં ઇન્દ્રિયમાં ઉત્તેજના આવે એ પછી તરત જ ઇન્દ્રિય પણ ઢીલી પડી જાય છે. સેક્સ દરમ્યાન ઍન્જાઇના જેવો દુખાવો નથી હોતો; પણ ભાર, બેચેની, પસીનો અને બેબાકળાપણું લાગે છે. ડૉક્ટરે લોહી પાતળું કરવાની દવા આપી છે એની સાથે શું હું ઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું? આ ગોળી ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ?
જવાબ : જ્યારે પણ છાતીમાં દુખાવો, ભાર અને બેચેની જેવાં લક્ષણો હોય ત્યારે વાતને હળવાશથી ન લેવાય. તમારી સમસ્યા માત્ર સેક્સલાઇફને લગતી જ છે એવું માની ન લેવું જોઈએ. વર્ષોથી હાઇપરટેન્શન રહે છે અને ઍન્જાઇનાનું પેઇન પણ થાય છે એ બતાવે છે કે હાર્ટની કામગીરીમાં કોઈક ગરબડ છે. ધારી લઉં છું કે આ માટે તમે માત્ર ફૅમિલી-ડૉક્ટર નહીં, પણ કાર્ડિયોલૉજિસ્ટને જ બતાવતા હશો. આ ઉંમરે હૃદયની સમસ્યાઓનાં લક્ષણો હોય તો હૃદયરોગના નિષ્ણાત પાસે હાર્ટનું યોગ્ય ચેક-અપ નિયમિત સમયાંતરે કરાવતા રહેવું અને તેમણે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ નિયમિત લેવી જરૂરી છે.
તમે કહો છો કે સેક્સ દરમ્યાન તમને ઍન્જાઇના જેવો દુખાવો નથી થતો, પણ આ હૃદયનો મામલો છે એટલે તમને ચેક કર્યા સિવાય આ બાબતે તારણ પર આવી જવું એ ઉતાવળ ગણાશે. મારી સલાહ છે કે આ સંજોગોમાં તપાસ વિના વાયેગ્રા લેવાનું ચાલુ કરી દેવું યોગ્ય નથી. નિષ્ણાત પાસે પ્રાથમિક પરીક્ષણો ઉપરાંત સ્ટ્રેસ-ટેસ્ટ પણ કરાવો. તમામ નિદાન-પરીક્ષણ પછી જો તમારી સ્ટ્રેસ-ટેસ્ટ નૉર્મલ હોય તો સેક્સલાઇફ માણી શકો છો. સમાગમમાં ઓછી તકલીફ પડે એ માટે જમીને તરત જ સેક્સ ન કરવું, પણ માત્ર હળવો નાસ્તો કે લાઇટ ડિનર જ લેવું. બેડરૂમની અંદર ઍર-કન્ડિશનર હોય તો વધારે સારું. સ્વસ્થતા માટે રોજ પોણો કલાક ચાલવાનું તેમ જ એક-બે માળના દાદરા ચડવા-ઊતરવાનું રાખવું.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2021 11:52 AM IST | Mumbai | Dr.Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK