Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > Summer Special: ઉનાળામાં થઈ શકે છે માઈગ્રેનની સમસ્યા, તેનાથી બચવા અપનાવો ઉપાયો

Summer Special: ઉનાળામાં થઈ શકે છે માઈગ્રેનની સમસ્યા, તેનાથી બચવા અપનાવો ઉપાયો

25 May, 2022 03:24 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઉનાળામાં માઈગ્રેનની સમસ્યા વધુ સ્ટ્રેસ લેવાને કારણે થાય છે

પ્રતીકાત્મક તસવીર

Summer Special

પ્રતીકાત્મક તસવીર


માઈગ્રેન એક એવી માનસિક સ્થિતિ છે, જેનાથી રાહત મેળવવી આસાન નથી. ઉનાળામાં માઈગ્રેનની સમસ્યા વધુ સ્ટ્રેસ લેવાને કારણે થાય છે અને જો આવામાં કોઈ આ સમસ્યાનો શિકાર બને તો તેને સરળતાથી રાહત નથી. આ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મુખ્યત્વે માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આનાથી પીડિત લોકોને આંખોની નજીક દુખાવો, કાનની પાસે દુખાવો અથવા માથાના પાછળના ભાગમાં દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે. જ્યારે માઈગ્રેનની સમસ્યા થાય છે, ત્યારે વ્યક્તિને હોર્મોનલ ફેરફારો, ભાવનાત્મક તાણ, ઊંઘનો અભાવ અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

જો કે તેની પાછળ ખોરાક અને તણાવ મહત્વપૂર્ણ કારણો છે, પરંતુ કેટલીકવાર ઉનાળાની ઋતુમાં માથાનો દુખાવો માઈગ્રેનનું સ્વરૂપ પણ લઈ શકે છે. કાળઝાળ ગરમીના કારણે લોકોને માથાનો દુખાવો થવા લાગે છે. જો આ દુખાવો ઘણા દિવસો સુધી સતત રહે તો એક સમયે પીડિત વ્યક્તિ માઈગ્રેનની ચપેટમાં આવી જાય છે. માઈગ્રેનના હુમલામાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, પરંતુ ઉનાળામાં તેનાથી બચવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.



તડકામાં બહાર જવાનું ટાળો


માઈગ્રેનના હુમલા પાછળનું એક કારણ સખત તાપ હોઈ શકે છે. માઈગ્રેન હુમલાથી બચવા માટે, વ્યક્તિએ સખત તડકામાં બહાર ન જવું જોઈએ. જો તમારે કોઈ કારણસર બહાર જવાનું હોય, તો એવો સમય પસંદ કરો કે જે દરમિયાન તડકો ઓછો હોય. તડકાને કારણે માથાનો દુખાવો શરૂ થશે, સાથે જ તમે ડિહાઇડ્રેશનનો શિકાર પણ બની શકો છો. જો કામ માટે તડકામાં બહાર જવું તમારી મજબૂરી છે, તો આ દરમિયાન તમારી જાતને સંપૂર્ણપણે ઢાંકીને રાખો.

હાઇડ્રેટેડ રહો


ઉનાળાની ઋતુમાં ડિહાઈડ્રેશન થવું સામાન્ય બાબત છે. ડિહાઇડ્રેશનમાં, ઉલટી, ઉબકા અને ચક્કર શરૂ થાય છે. શરીરમાં પાણીની અછતથી માથાનો દુખાવો થાય છે અને તે ક્યારે માઈગ્રેનમાં ફેરવાઈ જશે તેની તમને ખબર પણ નહીં પડે. ગરમીની ઋતુમાં, પોતાને હાઇડ્રેટ રાખવા માટે વધુને વધુ પાણી પીવો. આમ કરવાથી તમને સ્વાસ્થ્ય લાભ તો મળશે જ, પરંતુ ત્વચાની સંભાળમાં પણ મદદ મળશે.

ડાયટ

સ્વસ્થ રહેવામાં ખોરાક મહત્વનો ભાગ ભજવે છે. ખોટા ડાયટને કારણે, માઇગ્રેન સહિત ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. ઉનાળામાં તળેલું કે ફાસ્ટ ફૂડ ખાવાથી પેટમાં ગેસ કે એસિડિટી થવા લાગે છે. ગેસની સમસ્યા અને ગરમીના કારણે માથાનો દુખાવો શરૂ થઈ શકે છે. વધુ સારો આહાર લેવા માટે તેમાં તરબૂચ, લીલા શાકભાજી અને અન્ય વસ્તુઓનો સમાવેશ કરો.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2022 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK