Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હાર્ટ-અટૅક આવ્યા પછી ગુસ્સાવાળો સ્વભાવ છોડવો જરૂરી છે?

હાર્ટ-અટૅક આવ્યા પછી ગુસ્સાવાળો સ્વભાવ છોડવો જરૂરી છે?

05 January, 2022 02:03 PM IST | Mumbai
Dr. Bipeenchandra Bhamre | askgmd@mid-day.com

બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ બન્ને છેે. શું તેમના આ ગરમ સ્વભાવની શું તેમના હૃદય પર અસર થતી હશે? અને જો થતી હોય તો કઈ રીતે તેમનો સ્વભાવ બદલું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારા પતિ ૬૨ વર્ષના છે અને તેમની ટાઇપ-વન પર્સનાલિટી છે એટલે કે તેમનો ગુસ્સો હંમેશાં આસમાને જ હોય છે. નાની-નાની વાતે તે ભડકે અને રાડા-રાડી કરવા લાગે. વર્ષોથી આવા જ સ્વભાવના છે તે. બે મહિના પહેલાં તેમને એક માઇલ્ડ અટૅક આવ્યો હતો. એ પછી તેમનામાં જરૂરી લાઇફસ્ટાઇલ ચેન્જ અમે લાવી રહ્યા છીએ. બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ બન્ને છેે. શું તેમના આ ગરમ સ્વભાવની શું તેમના હૃદય પર અસર થતી હશે? અને જો થતી હોય તો કઈ રીતે તેમનો સ્વભાવ બદલું?
   
જેમનો આ પ્રકારનો સ્વભાવ છે એ મોટા ભાગે વર્ષોથી જ હોય છે. લાંબા ગાળે આ પ્રકારનો સ્વભાવ હાર્ટને અસર કરે જ છે. એની અસર તાત્કાલિક નથી હોતી, લાંબા ગાળાની હોય છે. જેમ તમે કહો છો કે તમારા પતિ વર્ષોથી આવા જ છે તો તેમનો આ સ્વભાવ તેમના હાર્ટને નબળું બનાવી રહ્યો છે. એમાં પણ તેમને એક માઇલ્ડ હાર્ટ-અટૅક આવી ગયો છે એટલે જેમ શારીરિક બદલાવ જરૂરી છે એમ માનસિક બદલાવ પણ એટલો જ જરૂરી છે. જો તેમનો સ્વભાવ નહીં બદલાય તો તેમના સ્વભાવને કારણે પણ હાર્ટ પર અસર થવાની જ છે અને ભવિષ્યમાં હાર્ટ-અટૅક ફરી આવવાની શક્યતામાં વધારો થઈ શકે છે, કારણ કે તેમના આ સ્વભાવની અસર લોહીની નળીઓ પર થાય છે જેને લીધે બ્લૉકેજ વધી શકે છે. 
મોટા ભાગે જોવા મળે છે એ આ પ્રકારની પર્સનાલિટી જન્મથી જ આવી હોય છે. ખાસ કરીને ૩૦-૪૦ વર્ષની ઉંમર પછી આ પ્રકારની તકલીફોમાં વધારો થાય છે. નાની બાબતો પર ચિડાઈ જવું, ગુસ્સે થઈ જવું, એકદમ હાઇપર મોડમાં રાડો પાડવી અને પછી થોડી વારમાં શાંત થઈ જવું. જેમ પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એમ આ સ્વભાવ છોડવો તેમના માટે અઘરો પડે છે, પણ જો લાંબું અને સારું જીવન જોઈતું હોય તો એ સ્વભાવમાં બદલાવ અત્યંત જરૂરી છે. આ વાત તેમને ગળે ઉતારવી પડશે. બીજી બાબત એ છે કે ઘરના લોકોએ ખાસ કરીને તમારે, થોડી સમતા રાખવી પડશે, કારણ કે તમે ઇચ્છો છો કે તે સ્વભાવ બદલે પણ એ તેમના માટે પણ સરળ નથી. યોગ અને મેડિટેશનનો સહારો લો તેમના માટે. મૉડર્ન મેડિસિન પણ એવી આવે છે જે મદદરૂપ થઈ શકે.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2022 02:03 PM IST | Mumbai | Dr. Bipeenchandra Bhamre

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK