Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > યુવાનીમાં કરોડરજ્જુનાં હાડકાં ઘસાઈ શકે?

યુવાનીમાં કરોડરજ્જુનાં હાડકાં ઘસાઈ શકે?

12 April, 2022 03:47 PM IST | Mumbai
Dr. Tushar Agrawal

ડૉક્ટરને બતાવવા ગઈ ત્યારે તેમણે તપાસીને કહ્યું, તમને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ છે. આ રોગમાં કરોડરજ્જુનાં હાડકાં ઉંમરને કારણે ઘસાય છે એટલે આ તકલીફ ઊભી થાય છે. ૩૨ વર્ષે હાડકાં ઘસાવા લાગ્યાં એ કઈ રીતે શક્ય છે? 

પ્રતીકાત્મક તસવીર ઓ.પી.ડી.

પ્રતીકાત્મક તસવીર


હું ૩૨ વર્ષની હોમમેકર છું, જેને છેલ્લાં ૬-૭ વર્ષ પહેલાં પીઠનો સામાન્ય દુખાવો શરૂ થયો હતો. શરૂઆતમાં દુખાવો રાત્રે જ વધુ થતો અને ઊંઘ ખેંચી કાઢું એટલે સવારે બધું ઠીક થઈ જતું. ૨-૩ વર્ષ પહેલાં દુખાવો એટલો વધ્યો કે રાત્રે એને કારણે ઊંઘ ઊડી જાય છે અને પછી સૂઈ જ નથી શકતી. ડૉક્ટરને બતાવવા ગઈ ત્યારે તેમણે તપાસીને કહ્યું, તમને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ છે. આ રોગમાં કરોડરજ્જુનાં હાડકાં ઉંમરને કારણે ઘસાય છે એટલે આ તકલીફ ઊભી થાય છે. ૩૨ વર્ષે હાડકાં ઘસાવા લાગ્યાં એ કઈ રીતે શક્ય છે? 
 
હા, આ શક્ય છે. આજકાલ એ સામાન્ય થતું જાય છે. વૃદ્ધોમાં જોવા મળતો આ રોગ આજકાલ યુવાનોમાં સામાન્ય થઈ રહ્યો છે. જે લોકો સતત કમ્પ્યુટર પર કે ગૅજેટમાં રહે છે તેમને આ તકલીફ થાય જ છે. અમુક લોકોના શરીરનો બાંધો નબળો હોય છે. તેનાં સ્નાયુઓ અને હાડકાં બીજા લોકોના પ્રમાણમાં નબળાં જ હોય છે. બેઠાડું જીવન પણ આ તકલીફનું એક કારણ હોઈ શકે છે. પહેલાંની હાઉસ-વાઇફ ઘરમાં ખૂબ કામ કરતી એટલે ઘરમાં જ રહેવા છતાં તેમનું જીવન બેઠાડું ન હતું, પરંતુ આજે એવું નથી રહ્યું. આ ઉપરાંત સુવામાં જો તકિયો વધુ જાડો કે વધુ પાતળો હોય તો પણ આ તકલીફ થઈ શકે છે. આપણે કોઈ પણ જાતનો જે માનસિક કે શારીરિક સ્ટ્રેસ લઈએ છીએ એનો ભાર હંમેશાં આપણા ખભા પર જ આવે છે. ખાસ કરીને માનસિક સ્ટ્રેસનો ભાર. આજકાલ સ્ટ્રેસનું પ્રમાણ પહેલાં કરતાં ઘણું વધી ગયું છે. એ પણ એક મહત્ત્વનું કારણ છે કે નાની ઉંમરે લોકોને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ થાય છે. પહેલાં તો આ તકલીફ તમને થઈ છે એ વાતનો સ્વીકાર કરો. તમારે એ સમજવાનું છે કે જો આ પ્રૉબ્લેમ યુવાન વયે ચાલુ થયો હોય તો વ્યક્તિએ એને ગંભીરતાથી લેવો જરૂરી છે. જો એનાં હાડકાં ૩૦-૩૫ વર્ષની ઉંમરથી ઘસાવા લાગે તો ૬૦-૭૦ વર્ષે એની હાલત શું થઈ શકે એની કલ્પના મુશ્કેલ છે. મહત્ત્વનું છે કે આવી વ્યક્તિઓ કયા કારણસર આ તકલીફ થઈ છે એ સમજી એને દૂર કરવાનો પ્રયત્ન કરે. જે કારણો અહીં સૂચવ્યાં છે એમાંથી તમને કયાં લાગુ પડે છે એ સમજો. સાથે-સાથે ફિઝિયોથેરપી ખૂબ જ મહત્ત્વનો ભાગ છે એને અવગણો નહીં. આ રોગમાં વ્યક્તિના સ્નાયુઓને સશક્ત કરવાનું કામ એક્સરસાઇઝ કરે છે, જેને કારણે હાડકાં ઘસાવાની ગતિને મંદ પાડી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2022 03:47 PM IST | Mumbai | Dr. Tushar Agrawal

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK