Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > દાળઢોકળીમાં પણ વરાઇટી હોય એ છેક હવે ખબર પડી

દાળઢોકળીમાં પણ વરાઇટી હોય એ છેક હવે ખબર પડી

24 June, 2021 02:15 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

દવે’સ દાળઢોકળીમાં રેગ્યુલર ઉપરાંત અલગ-અલગ રીજનના ટેસ્ટની તેમ જ મેથી અને પાલક જેવી ભાજીના ટેસ્ટ સાથેની પણ દાળઢોકળી મળે છે

નાનપણની બેસ્ટ યાદ હોય તો એ દાળઢોકળી છે. સિત્તેર અને એંસીના દશકમાં ગુજરાતીઓના ઘરે રવિવારે તો દાળઢોકળી જ બનતી. કાશ, એ દિવસો પાછા આવે.

નાનપણની બેસ્ટ યાદ હોય તો એ દાળઢોકળી છે. સિત્તેર અને એંસીના દશકમાં ગુજરાતીઓના ઘરે રવિવારે તો દાળઢોકળી જ બનતી. કાશ, એ દિવસો પાછા આવે.


ઘરઘરાઉ ફૂડની ચાલતી આપણી આ ફૂડ-ડ્રાઇવ વાંચીને ઍક્ટર-લેખક અને કવિ દિલીપ રાવલનો મેસેજ આવ્યો કે દહિસરમાં મળતી દવે’સ દાળઢોકળી બહુ સરસ છે. એ લોકો માત્ર દાળઢોકળી જ બનાવે છે અને એમાં પણ જુદી-જુદી વરાઇટીઓ છે, એક વાર ટ્રાય કરવા જેવી છે. નંબર પણ મોકલ્યો હતો અને દવે’સ દાળઢોકળી ઑલરેડી સ્વિગી-ઝોમૅટો પર પણ મળતી જ હતી. મેં તો કર્યો તેમને ફોન. વાત કરતાં ખબર પડી કે એ ભાઈ આપણી રેગ્યુલર દાળઢોકળી ઉપરાંત મેથી દાળઢોકળી, પાલક દાળઢોકળી પણ બનાવે છે અને મહારાષ્ટ્રિયન દાળઢોકળી, રાજસ્થાની દાળઢોકળી પણ બનાવે છે. મને તો એમ હતું કે દાળઢોકળી આપણે ગુજરાતીઓ જ ખાતા હોઈએ છીએ પણ ના, આ આઇટમ પણ ખીચડી જેવી છે. દેશનાં ઘણાં રાજ્યોમાં એ ખવાતી આવે છે.
મેં મેથી દાળઢોકળીનો ઑર્ડર આપી ઘરમાં બધાને કહી દીધું કે આપણા માટે જમવાનું બનાવવાનું નહીં, આજે હું દાળઢોકળી ખાવાનો છું. કહી તો દીધું પણ પછી મનમાં બીક પણ લાગી. ક્યાંક દાળઢોકળીમાં મજા નહીં આવે તો ભૂખ્યા રહેવું પડશે પણ સાહેબ, મિત્રોનો ભરોસો ક્યોરય છોડવો નહીં. દિલીપ રાવલની વાત એકદમ સાચી હતી, અફલાતૂન દાળઢોકળી હતી. ક્વૉન્ટિટી એટલી કે બે જણ આરામથી ખાઈ શકે અને એ પણ કિફાયતી કહેવાય એવા ૧૮૦ રૂપિયામાં.
મેથી દાળઢોકળીમાં મગફળીના આખા દાણા નાખવામાં આવે છે અને એની જ મજા છે એમ કહું તો ખોટું નથી. બફાઈ ગયેલા એ આખા મગફળીના દાણા દાળમાં પલળીને એવા સૉફ્ટ થઈ ગયા હોય કે જાણે બાફેલા બીન્સ ખાતા હોય એવો ટેસ્ટ આવે. અમારા ઘરની વાત કરું તો અમારે ત્યાં દાળઢોકળીમાં ખજૂર નાખે છે તો ઘણા લોકો કાજુ પણ નાખતા હોય છે. અમુક લોકોને ત્યાં તો મેં દાળઢોકળીમાં ઘરે બનાવેલી કચોરી પણ નાખતા જોયા છે પણ દવે’સની દાળઢોકળીમાં ખજૂર કે કાજુ કે પેલી કચોરી જેવું કંઈ નહીં, ફક્ત સિંગદાણા. હા, એમાં ઘી પણ નહોતું નાખેલું.
દાળઢોકળીમાં ઉપરથી ઘી નાખીને ખાવાની પરંપરા રહી છે. આ પરંપરા પણ આયુર્વેદ મુજબ બનાવવામાં આવી છે. દાળઢોકળી પચવામાં થોડી હેવી એટલે જો એમાં ઘી નાખીએ તો એ રેચક બની જાય પણ ઘી તો આપણા ઘરમાં હોય એટલે આપણે એ જાતે નાખી દેવાનું. બાકી દાળઢોકળીનો સ્વાદ સુપર્બ. ઘરમાં બની હોય એવી જ, તામસી નહીં. વાજબી મસાલા સાથેની અને પૂરેપૂરી ચોખ્ખાઈ સાથેની. મેં જે મેથી દાળઢોકળી મગાવી હતી એ મેથી માટે મને એમ કે એ દાળમાં નાખેલી હશે પણ ના, એવું નહોતું કર્યું. 
ઢોકળીનો જે લોટ બાંધવામાં આવે એ લોટમાં જ મેથીની ભાજી નાખીને લોટ બાંધ્યો હતો. મેથીની ભાજી કડવી હોય અને એમાં પણ એ લોટમાં વણી લેવામાં આવી હતી એટલે એની આછી સરખી કડવાશ અકબંધ હતી, પણ એનો એક અલગ જ સ્વાદ હતો તો સ્વાસ્થ્ય માટે પણ મેથી સુખરૂપ છે. આમ આપણે મેથી ખાવા રાજી ન હોઈએ પણ જો આવી વરાઇટીમાં એ આપણને મળી જાય તો એ ખવાઈ પણ જાય. ઘણાને દાળઢોકળીમાં ભાત નાખીને પણ ખાવાની આદત હોય છે. અહીં તમને રાઇસ બાઉલ જોઈતો હોય તો એ પણ મળે છે. 
દવે’સ દાળઢોકળી સ્વિગી અને ઝોમૅટો પર પણ અવેલેબલ છે. કરો અત્યારે જ ઑર્ડર પણ હા, એક સલાહ. દાળઢોકળી આવી જાય એટલે એને મૂકી રાખવાને બદલે તરત જ ખાજો. બાકી ઢોકળી દાળ શોષવાનું કામ કર્યા કરશે અને દાળઢોકળી લોંદા જેવી થઈ જશે તો ખાવાની મજા નહીં આવે. દાળઢોકળી ખાવાની સાચી મજા તો એ ગરમ હોય ત્યારે જ આવે.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2021 02:15 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK