Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > વિચાર એ બુદ્ધિનું પ્રમાણ છે, જ્યારે પ્રેમ હૃદયની ઓળખાણ છે

વિચાર એ બુદ્ધિનું પ્રમાણ છે, જ્યારે પ્રેમ હૃદયની ઓળખાણ છે

09 September, 2021 01:31 PM IST | Mumbai
Morari Bapu

બહુ સહજ છે આ પરિભાષા સમજવી. મેહુલો ગાજે ને માધવ નાચે એ પ્રેમ. કોઈ ઘટના, કોઈ દર્શન જોઈને નાચી ઊઠો એ જ પ્રેમ. જેને જોઈને, સાંભળીને, સમીપ જઈને તમારું મન મોર બની થનગાટ કરે એ પ્રેમ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે પ્રેમની વાત કરીએ છીએ અને પ્રેમની વાત થતી હોય ત્યારે સૌથી પહેલાં તો સમજવું પડે કે પ્રેમની પ્રતીતિ છે શું? પ્રેમ કહીશું કોને? શું કરીએ તો એ પ્રેમ થયો કહેવાય? 
બહુ સહજ છે આ પરિભાષા સમજવી. મેહુલો ગાજે ને માધવ નાચે એ પ્રેમ. કોઈ ઘટના, કોઈ દર્શન જોઈને નાચી ઊઠો એ જ પ્રેમ. જેને જોઈને, જેને સાંભળીને, જેની સમીપ જઈને તમારું મન મોર બની થનગાટ કરે એ પ્રેમ અને એવી જ રીતે જેના ચાલ્યા જવાથી, જેની ગેરહાજરીથી બધું અસાર થઈ જાય એ પ્રીતિની પ્રતીતિ.


પ્રેમનો અર્થ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ ઘટે નહીં. જેના વગર એક પળ પણ પસાર કરવી મુશ્કેલ લાગે એને પ્રીતિ કહી છે. કોઈ પણ પરિસ્થિતિ, આક્ષેપ, વિક્ષેપ, શંકા પ્રેમધારાને જરા પણ અવરોધી ન શકે એ જ સાચી પ્રીતિ. જીવ જે પ્રેમ કરે છે એ નિત્ય નથી હોતો. શાશ્વત પ્રેમ તો પ્રભુ પાસેથી જ મળે. જેને પ્રેમ પ્રાપ્ત થઈ જાય તે અવતાર બની જાય છે. પ્રેમ વધ્યો, ભાવ વધ્યો એનું પ્રમાણ શું? પ્રમાણ એ કે તમે બધાથી પર થઈ જાઓ. પાપ ન દેખાય, પુણ્ય ન દેખાય, કેવળ પ્રેમ જ દેખાય. ધર્મ-અધર્મ ન દેખાય, કેવળ પ્રેમ દેખાય.

પ્રેમ સંપદા છે. પ્રેમ પોતે જ પરિપૂર્ણ છે. પ્રેમમાંથી તમે ગમેએટલો પ્રેમ આપો, પ્રેમ એટલો જ રહેશે. પ્રેમ ક્યારેય ઘટે નહીં. 
ઓમ પૂર્ણ મદઃ પૂર્ણ મિદમ, 

પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, 
પૂર્ણસ્ય પૂર્ણ માદાય, 
પૂર્ણ મેવાવસીશ્યતે. 
ઓમ શાંતિ શાંતિ શાંતિ. 
પ્રેમ માણસની આંખનું ઑપરેશન કરે છે. પ્રેમની આંખમાં પ્રેમ જ જોવા મળે છે. પ્રેમની આંખમાં પરમાત્મા હોય છે, પ્રેમીની આંખ જોવા જેવી હોય છે. તેને જોતાં જ આંખોમાં અહોભાવ જન્મી જાય. વિચાર એ બુદ્ધિનું પ્રમાણ છે, એવી જ રીતે પ્રેમ એ હૃદયની ઓળખાણ છે. બુદ્ધિ મેળવતાં શીખવે, પ્રેમ આપવાનું જાણે. બુદ્ધિ પામતાં શીખવે, પ્રેમ સહર્ષ અપનાવવાનું જાણે. બુદ્ધિ ગણતરી શીખવે, પ્રેમ ગણતરી ભુલાવે.
પ્રેમની ચાર રીત દર્શાવવામાં આવી છે; આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને આત્મીયતા. આ ચારેય જેમાં છે તે પ્રેમ કરી શકે છે. જે પ્રેમ કરે છે એમાં આ ચારેય હોય છે. કોઈ એમ કહે કે પ્રેમ કરીએ છીએ, પણ આ ચારેય ન હોય તો એ કેવળ છેતરપિંડી છે. 
Whatsapp-channel Whatsapp-channel

09 September, 2021 01:31 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK