Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > એક્સ્ટ્રામૅરિટલ રિલેશનની ચાડી ખાશે તમારા આ ગ્રહો

એક્સ્ટ્રામૅરિટલ રિલેશનની ચાડી ખાશે તમારા આ ગ્રહો

25 September, 2022 02:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુક્ર સાથે ગોઠવાયેલા ગ્રહો અમુક સમયે ગાઈ-વગાડીને ઇન્ડિકેટ કરે છે કે વ્યક્તિને લગ્નેતર સંબંધો છે કે નહીં અને આ જ આધારે કહેવામાં આવતું કે મૅરેજ કોની સાથે કરવાં અને કોની સાથે કર્યા પછી કઈ રીતે વર્તવું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લગ્નેતર સંબંધો અને જન્મના ગ્રહોને સીધો સંબંધ છે. જો જન્મના ગ્રહ એ પ્રકારના હોય તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે લગ્નતેર સંબંધોને કે પછી ફ્લર્ટ કરતા સ્વભાવને અટકાવી કે નાથી શકે. આવી વ્યક્તિઓના એ પ્રકારના સંબંધો સ્વીકારવા સિવાય કોઈ છૂટકો નથી.

લગ્નેતર સંબંધો માટે જો કોઈ ગ્રહને દોષ આપવો હોય તો એમાં ત્રણ ગ્રહ એવા છે કે જેની તરફ આંગળી ચીંધી શકાય. આ ત્રણ ગ્રહ છે શુક્ર, રાહુ અને મંગળ. એવું ધારવાની જરૂર નથી કે આ ત્રણ ગ્રહ સાથે હોય તો જ લગ્નેતર સંબંધો હોય અને એવું ધારી લેવાની પણ કોઈ જરૂર નથી કે આ ત્રણ સ્ટાર સાથે ન હોય તો લગ્નેતર સંબંધો ન જન્મે. મૂળ વાત કરતાં પહેલાં કહેવાનું કે, જો આ ત્રણ ગ્રહ સાથે હોય તો એ વ્યક્તિ ભારોભાર વિકૃત અને વાસનાકીય વિચારોથી ભરેલી હોય એવી શક્યતા છે.



૧. વિજાતીય સંબંધોનું પ્રતિનિધિત્વ શુક્ર કરે છે. જો શુક્રની સાથે રાહુ કે મંગળ હોય તો એનો અર્થ એવો છે કે એ વ્યક્તિના જીવનમાં દુનિયાદારીની દૃષ્ટિનો વિજાતીય આકર્ષણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શુક્ર સાથે રહેલો રાહુ કે મંગળ ગ્રહ જન્મકુંડળીમાં કયા સ્થાનમાં છે એના આધારે લગ્નેતર સંબંધો કેવા પ્રકારના છે એનું નિર્દેશન મળતું હોય છે.


૨. શુક્ર અને રાહુ જો સાથે હોય તો અને એ વ્યક્તિના લગ્નેતર સંબંધો હોય તો એ સંબંધો ન્યુક્લિયર બૉમ્બ જેવું કામ કરે એવી સંભાવના છે તો શુક્ર અને મંગળ સાથે હોય અને એ વ્યક્તિને લગ્નેતર સંબંધો હોય તો એ સંબંધો અણુબૉમ્બનું કામ કરે એવી સંભાવના રહે છે. રાહુ-શુક્રની જોડી અને ચોક્કસ સ્થાનમાં એમનું હોવું સૂચવે છે કે વ્યક્તિ લગ્નેતર સંબંધોમાંથી ક્યારેય છુટકારો મેળવી નહીં શકે. તેને મૅક્સિમમ પાર્ટનર સાથે રહેવાની અને સંબંધો રાખવાની આદત પડતી જાય છે. ભૂલથી પણ એવું માનવું નહીં કે અહીં શારીરિક સંબંધોની વાત કહેવામાં આવે છે. અહીં માત્ર અને માત્ર સંબંધો વિશે કહેવામાં આવે છે. યાદ રહે, ૧૦૦ લગ્નેતર સંબંધોમાંથી ૫૨ ટકા લગ્નેતર સંબંધો એવા છે કે જેમાં માત્ર અને માત્ર વાતોના અને સાથે હસવા-બોલવાના વ્યવહારો જ હોય છે, એમાં ક્યાંય શારીરિક આકર્ષણ હોતું નથી.

૩. જો શુક્ર અને મંગળ સાથે હોય તો એ લગ્નેતર સંબંધોમાં શારીરિક આકર્ષણનું પ્રમાણ વધારે હોઈ શકે છે એવું જ્યોતિષશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની મદદથી હવે પેશન્ટને ચેક કરતા સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટનું માનવું છે. આ પ્રકારના સંબંધોમાં વ્યક્તિ બન્ને પક્ષના સંબંધોને પૂરતો ન્યાય આપવાની પણ કોશિશ અકબંધ રાખે છે, જે રાહુ-શુક્રવાળી વ્યક્તિમાં ઓછું બનતું હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 02:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK