Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તમારી લાઇફમાં જે બને એને માટે તમે પોતે જવાબદાર છો : સાન્યા મલ્હોત્રા

તમારી લાઇફમાં જે બને એને માટે તમે પોતે જવાબદાર છો : સાન્યા મલ્હોત્રા

14 December, 2020 08:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમારી લાઇફમાં જે બને એને માટે તમે પોતે જવાબદાર છો : સાન્યા મલ્હોત્રા

સાન્યા મલહોત્રા

સાન્યા મલહોત્રા


સાન્યા મલ્હોત્રાનું કહેવું છે કે તમારી લાઇફમાં જે પણ ઉતાર-ચડાવ આવે એ માટે તમે પોતે જ જવાબદાર છો. સાથે જ અન્યને તમે દોષ ન આપી શકો. ભારતમાં ‘બમ્બલ’ નામની એક ડેટિંગ ઍપ છે. એમાં નીના ગુપ્તા, સાન્યા મલ્હોત્રા, કીર્તિ કુલ્હારી, સુમુખી સુરેશ, સુશાંત દિવગીકર અને માનવી ગાગરુ વિવિધ મુદ્દા પર અર્થસભર ચર્ચા કરે છે. આ સિરીઝમાં હવે ડેટિંગને લઈને આવતા પડકારો, બૉડી-પૉઝિટિવિટી અને પ્રેશર પર ભાર મૂકવામાં આવશે. આ વખતના એપિસોડમાં દર્શકોને સાન્યા મલ્હોત્રા રિલેશનશિપ્સ અને વણમાગી સલાહ પર ચર્ચા કરતી જોવા મળશે. એ વિશે સાન્યાએ કહ્યું હતું કે ‘તમને પોતાને જ સમજવાનું રહેશે કે આખરે તો આ તમારી લાઇફ છે. તમારી લાઇફમાં જેકાંઈ પણ ઘટે એ માટે તમે લીધેલા નિર્ણયો જવાબદાર હોય છે. જો તમારા લગ્નજીવન કે પછી સંબંધો સારા ન ચાલે તો એને માટે તમે લીધેલી અન્ય લોકોની સલાહ જવાબદાર હોય છે. જોકે એનો અર્થ એ નથી કે તમે તેમને દોષ આપો. જો કોઈ તમને વણમાગી સલાહ આપે તો તેને સાંભળો, પારખો અને જો વ્યર્થ લાગે તો તમે જાતે જ ફેંસલો લઈ લો.’

સાન્યા મલ્હોત્રાનું કહેવું છે કે તમારી લાઇફમાં જે પણ ઉતાર-ચડાવ આવે એ માટે તમે પોતે જ જવાબદાર છો. સાથે જ અન્યને તમે દોષ ન આપી શકો. ભારતમાં ‘બમ્બલ’ નામની એક ડેટિંગ ઍપ છે. એમાં નીના ગુપ્તા, સાન્યા મલ્હોત્રા, કીર્તિ કુલ્હારી, સુમુખી સુરેશ, સુશાંત દિવગીકર અને માનવી ગાગરુ વિવિધ મુદ્દા પર અર્થસભર ચર્ચા કરે છે. આ સિરીઝમાં હવે ડેટિંગને લઈને આવતા પડકારો, બૉડી-પૉઝિટિવિટી અને પ્રેશર પર ભાર મૂકવામાં આવશે. આ વખતના એપિસોડમાં દર્શકોને સાન્યા મલ્હોત્રા રિલેશનશિપ્સ અને વણમાગી સલાહ પર ચર્ચા કરતી જોવા મળશે. એ વિશે સાન્યાએ કહ્યું હતું કે ‘તમને પોતાને જ સમજવાનું રહેશે કે આખરે તો આ તમારી લાઇફ છે. તમારી લાઇફમાં જેકાંઈ પણ ઘટે એ માટે તમે લીધેલા નિર્ણયો જવાબદાર હોય છે. જો તમારા લગ્નજીવન કે પછી સંબંધો સારા ન ચાલે તો એને માટે તમે લીધેલી અન્ય લોકોની સલાહ જવાબદાર હોય છે. જોકે એનો અર્થ એ નથી કે તમે તેમને દોષ આપો. જો કોઈ તમને વણમાગી સલાહ આપે તો તેને સાંભળો, પારખો અને જો વ્યર્થ લાગે તો તમે જાતે જ ફેંસલો લઈ લો.’


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2020 08:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK