અનન્યાને બદલે ભુલભૂલૈયા 2માં કાર્તિક સાથે દેખાશે સારા?
અનન્યાને રીપ્લેન કરશે સારા?
‘ભુલભૂલૈયા 2’માં અનન્યા પાન્ડેને બદલે સારા અલી ખાન જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે. ૨૦૦૭માં આવેલી ‘ભુલભૂલૈયા’ની આ સીક્વલ છે. એ ફિલ્મમાં અક્ષયકુમાર અને વિદ્યા બાલન જોવા મળ્યા હતાં. આ હૉરર-કૉમેડી લોકોને ખૂબ પસંદ પડી હતી. એથી આ ફિલ્મનો જાદુ દર્શકો પર ફરી એકવાર રેલાવવા માટે એની સીક્વલ બનવાની છે. ડિરેક્ટર અનીસ બઝમી અને પ્રોડ્યુસર ભૂષણ કુમારની આ ફિલ્મમાં કાર્તિક આર્યન જોવા મળવાનો છે. ઇમ્તિયાઝ અલીની ‘લવ આજ કલ 2’માં સારા અને કાર્તિક જોવા મળવાનાં છે. એથી ‘ભુલભૂલૈયા 2’માં ફરી આ બન્નેની જોડી જોવા મળે એવી શક્યતા છે. બીજી તરફ અનન્યા પાન્ડે અને કાર્તિક ‘પતિ, પત્ની ઔર વો’માં કામ કરી રહ્યાં છે.