સૂર્યવંશીના ક્લાઇમૅક્સમાં જોવા મળશે રાની મુખરજી?
રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં રાની મુખરજી ક્લાઇમૅક્સમાં જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મ ૨૪ માર્ચે સાંજે ૬ વાગ્યે રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષયકુમાર અને કૅટરિના કૈફ લીડ રોલમાં છે તો અજય દેવગન એટલે કે બાજીરાવ સિંઘમ અને રણવીર સિંહ એટલે કે સિમ્બા પણ ફિલ્મમાં જોવા મળશે. રાની ‘મર્દાની 2’માં સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ શિવાની રૉયની ભૂમિકામાં જોવા મળી હતી. જો ‘સૂર્યવંશી’ના ક્લાઇમૅક્સ માટે રાનીની એન્ટ્રી થાય તો તે વિલનનો સફાયો કરતી જોવા મળશે. જોકે હજી સુધી આ દિશામાં કોઈ નક્કર માહિતી નથી મળી.