Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મહેતામાં દિશા વાકાણીની વાપસી પર નવો ટ્વિસ્ટ, દિલીપ જોશીનો ખુલાસો

તારક મહેતામાં દિશા વાકાણીની વાપસી પર નવો ટ્વિસ્ટ, દિલીપ જોશીનો ખુલાસો

13 August, 2019 08:32 AM IST | મુંબઈ

તારક મહેતામાં દિશા વાકાણીની વાપસી પર નવો ટ્વિસ્ટ, દિલીપ જોશીનો ખુલાસો

શું તારક મહેતામાં પાછા આવશે દિશા વાકાણી?

શું તારક મહેતામાં પાછા આવશે દિશા વાકાણી?


નાના પડદાના સૌથી હિટ શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન એટલે કે દિશા વાકાણીને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. પ્રેગનેન્સીને લઈને દિશાએ શોમાંથી રજા લીધી હતી, પરંતુ તે પાછી ન આવી. હવે અહેવાલો આવી રહ્યા છે કે દિશા જલ્દી જ શોમાં પાછા આવી શકે છે અને તેના સંકેત તેના જોડીદાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ આપ્યા છે.

દિશા વાકાણીની વાપસીને લઈને એક ઈંટરવ્યૂમાં દિલીપ જોશીએ કહ્યું કે મને નહીં ખબર, પણ કાંઈ પણ થઈ શકે છે. દિશા, દયાબેનના કિરદાર માટે વાપસી કરી શકે છે. હું આશા રાખું છું તેઓ પાછા આવશે. તેમણે કહ્યું કે નવી દયા સાથે કામ કરવા પણ તેઓ તૈયાર છે.

દિલીપે કહ્યું કે, જો તમારા પરિવારમાંથી કોઈ ચાલ્યું જાય છે તો પણ જિંદગી ચાલતી રહે છે. તમારે પોતાને સમજાવવું પડે છે. કોઈ રસ્તો નથી હોતો. મને લાગે છે કે આ કિરદાર તેમના માટે જ બન્યો છે. તેમણે સાડા નવ વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી છે. એવા પણ અહેવાલો આવ્યા હતા કે દયાબેનના કિરદાર માટે વિભૂતિ શર્માનો લૂક ટેસ્ટ થયો છે.

આ પણ જુઓઃ Nadia Himani:ક્રિમિનલ લૉયર બનવા ઈચ્છતા હતા સાવજ એક પ્રેમગર્જનાની 'મોંઘી'



આ વર્ષના શરૂઆતમાં આવેલા અહેવાલો પ્રમાણે, દિશાએ ફી વધારવાની માંગ કરી હતી. સાથે જ તેમણે વર્કિંગ અવર્સ બદલાવાની પણ માંગ કરી હતી. દિશાએ બિઝનેમેન મયૂર પડિયા સાથે 2015માં લગ્ન કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2019 08:32 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK