Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અવંતિકાએ છોડ્યું ઈમરાનનું ઘર, લગ્નના 8 વર્ષ બાદ સંબધોમાં તિરાડ?

અવંતિકાએ છોડ્યું ઈમરાનનું ઘર, લગ્નના 8 વર્ષ બાદ સંબધોમાં તિરાડ?

21 May, 2019 12:30 PM IST | મુંબઈ

અવંતિકાએ છોડ્યું ઈમરાનનું ઘર, લગ્નના 8 વર્ષ બાદ સંબધોમાં તિરાડ?

ઈમરાન ખાનના લગ્નજીવનમાં સમસ્યા?

ઈમરાન ખાનના લગ્નજીવનમાં સમસ્યા?


ઈમરાન ખાન અને પત્ની અવંતિકા વચ્ચે મતભેદ હોવાનો અહેવાલો છે. DNAના રીપોર્ટ્સ પ્રમાણે અવંતિકાએ ઈમરાનનું પાલી હિલમાં આવેલું ઘર છોડી દીધું છે અને તે હાલ પોતાના પરિવાર સાથે રહે છે. બંને વચ્ચે અનેક મતભેદો આવી ગયા છે. બંનેના સંબંધોમાં આવેલી ખટાશ થોડા સમયની છે કે તેઓ કોઈ ગંભીર પગલું લેશે તે તો સમય જ બતાવશે. પરંતુ હાલ બંનેનો પરિવાર તેમના મતભેદોને દૂર કરવાના પ્રયાસ કરી રહ્યો છે.

IMRAN KHAN AND AVANTIKA



ઈમરાન ખાન અને અવંતિકાની લવ સ્ટોરી કોઈ ફેરી ટેલથી ઓછી નથી. બંનેએ એક બીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2011માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં આમિર ખાન, કિરણ રાવ સહિતના બોલીવુડના મોટા મોટા સિતારાઓએ હાજરી આપી હતી. અવંતિકાએ 2014માં બેબી ગર્લને જન્મ આપ્યો હતો. જે માટે ઈમરાને એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે, મારી દીકરી ઈમારા બેસ્ટ ગિફ્ટ છે જે મને અવંતિકાએ આપી છે.

ઈમરાન અને અવંતિકા ઈન્ડસ્ટ્રીના બેસ્ટ કપલમાંથી એક છે. જો કે હાલ તો બંનેના સંબંધોમાં ખટાશ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઈમરાનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. વર્ષ 2015માં આવેલી ફિલ્મ કટ્ટી-બટ્ટીમાં છેલ્લે તેઓ જોવા મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2019 12:30 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK