Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનિલ કપૂરની જેમ ઍક્ટિંગ કરતા રણવીરનું શૂટિંગ આદિત્યએ અટકાવી દીધેલું

અનિલ કપૂરની જેમ ઍક્ટિંગ કરતા રણવીરનું શૂટિંગ આદિત્યએ અટકાવી દીધેલું

24 July, 2016 05:00 AM IST |

અનિલ કપૂરની જેમ ઍક્ટિંગ કરતા રણવીરનું શૂટિંગ આદિત્યએ અટકાવી દીધેલું

 અનિલ કપૂરની જેમ ઍક્ટિંગ કરતા રણવીરનું શૂટિંગ આદિત્યએ અટકાવી દીધેલું


ranveer


અનિલ કપૂરની ‘૨૪’ની બીજી સીઝનના સ્ક્રીનિંગ વખતે રણવીરે આ વિશે જણાવતાં કહ્યું હતું કે, ‘અમે પૅરિસમાં ‘બેફિકરે’નું શૂટિંગ કરી રહ્યા હતા અને આદિત્ય સરે શૂટિંગ અટકાવી દીધું હતું. આદિત્ય સરે મૉનિટર પાસેથી ઊભા થઈને મારી પાસે આવીને મને કહેલું કે હું અનિલ કપૂરની જેમ ઍક્ટિંગ કરી રહ્યો છું. ‘દિલ ધડકને દો’ બાદ મારા પર તેમની ખૂબ જ અસર જોવા મળી રહી હતી. તેથી આગામી દૃશ્ય માટે મારે રણવીરનો શૉટ આપવાનો હતો નહીં કે અનિલ કપૂરનો.’

રણવીર સિંહ ને કરણ જોહર પહેલી વાર સાથે કામ કરશે?

રણવીર સિંહ તેની આગામી ફિલ્મ સંજય લીલા ભણસાલીની ‘પદ્માવતી’માં જોવા મળશે, પરંતુ આ સિવાય તે કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે એવી પણ વાતો ચાલી રહી છે. અગાઉ એવી વાતો ચાલી હતી કે ‘રામ લખન’ની રીમેકમાં રણવીર જોવા મળશે, જે કરણ અને રોહિત શેટ્ટીના પ્રોડક્શન-હાઉસ હેઠળ બનવાની હતી. પરંતુ આ ફિલ્મને પડતી મૂકવામાં આવી છે ત્યારથી કરણ અને રણવીર સાથે કામ કરવાનું વિચારી રહ્યા છે. આ તેમની પહેલી ફિલ્મ હશે. હાલમાં એવી વાતો ચાલી રહી છે કે તેઓ બન્ને એક લવ-સ્ટોરી ફિલ્મ પર સાથે કામ કરી રહ્યા છે અને આ ફિલ્મ વિશે તેમણે ફી અને તારીખો પણ નક્કી કરી લીધી છે. હવે આ ફિલ્મની ઑફિશ્યલ જાહેરાત કરવાની જ બાકી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2016 05:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK