કઈ વાતનો ડર સતાવે છે રોહિત રૉયને?
રોહિત રૉયને હવે એ વાતનો ડર સતાવે છે કે તાજેતરમાં લૉકડાઉનને કારણે જે ઍક્ટર્સ ઘરનાં કામ કરી રહ્યા છે તેઓ કદાચ પોતાની ઍક્ટિંગ ન ભૂલી જાય.
આ વિશે ટ્વિટર પર રોહિત રૉયે ટ્વીટ કર્યું હતું કે ‘ઍક્ટર્સ જે પ્રકારે દરરોજ કુકિંગ, ક્લીનનિંગ, બેકિંગ, ટ્રેઇનિંગ, હેરસ્ટાઇલિંગ, કવિતા અને ગીતો ગાવાની સાથે વિવિધ ઍક્ટિવિટીઝ કરે છે એને જોતાં મને ડર લાગે છે કે તેઓ કદાચ ઍક્ટિંગ ન ભૂલી જાય. એવું પણ નથી કે અમારી પાસે પ્રતિભાને શરૂ કરવાનો ખજાનો નથી.’