Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > નાગીનનો દેવ અત્યારે કોરોના વેકેશનમાં શું કરે છે?

નાગીનનો દેવ અત્યારે કોરોના વેકેશનમાં શું કરે છે?

25 March, 2020 06:56 PM IST | Rajkot
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગીનનો દેવ અત્યારે કોરોના વેકેશનમાં શું કરે છે?

ઍક્ટર વિજયેન્દ્ર કુમેરિયા

ઍક્ટર વિજયેન્દ્ર કુમેરિયા


કોરોના વેકેશનને લીધે અત્યારે ટીવી-આર્ટિસ્ટ જ્યારે ઘરમાં બેસી રહ્યા છે ત્યારે કેટલાક આ વગર કારણના વેકેશનને લીધે કંટાળી ગયા છે તો અમુકે પોતાના શોખને સમય આપવાનું શરૂ કરી દીધું છે. જાતને અને શોખને સમય આપવાનું શરૂ કરનારાઓમાં કલર્સ ચૅનલના પૉપ્યુલર શો ‘નાગીન - ભાગ્ય કા ઝહરીલા ખેલ’ના લીડ ઍક્ટર વિજયેન્દ્ર કુમેરિયાનો સમાવેશ છે. વિજયેન્દ્ર ઍક્ટિંગ ઉપરાંત સ્કૅચ અને પેઇન્ટિંગમાં પણ ગજબનાક માસ્ટરી ધરાવે છે. શૂટિંગ બંધ થવાના બીજા જ દિવસે વિજયેન્દ્રએ પોતાના બેડરૂમની એક દીવાલ પર પેઇન્ટિંગ શરૂ કર્યું હતું અને ગઈ કાલે એ આખી દીવાલનું પેઇન્ટિંગ પૂરું કર્યું.

વિજયેન્દ્રએ કહ્યું કે ‘પેઇન્ટિંગ અને સ્કૅચિંગ મારી ફેવરિટ હોબી છે, પણ સમય જતાં કામમાં વ્યસ્તતા આવી ગઈ એટલે આ શોખ છૂટી ગયો, પણ હવે મને એ તક મળીછે એટલે મેં નવેસરથી એની શરૂઆત કરી છે. શૂટિંગ બંધ થવાની અનાઉન્સમેન્ટના દિવસે જ હું જઈને કલર અને બ્રશ લઈ આવ્યો અને પછી ફરીથી પેઇન્ટિંગ શરૂ કર્યું. ખરેખર એવું લાગ્યું જાણે હું મારી એ દુનિયામાં પાછો આવી ગયો.’



વિજયેન્દ્રએ પોતાના બેડરૂમની દીવાલ પર મહાદેવની પ્રતિકૃતિ બનાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2020 06:56 PM IST | Rajkot | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK