નાગીનનો દેવ અત્યારે કોરોના વેકેશનમાં શું કરે છે?
ઍક્ટર વિજયેન્દ્ર કુમેરિયા
કોરોના વેકેશનને લીધે અત્યારે ટીવી-આર્ટિસ્ટ જ્યારે ઘરમાં બેસી રહ્યા છે ત્યારે કેટલાક આ વગર કારણના વેકેશનને લીધે કંટાળી ગયા છે તો અમુકે પોતાના શોખને સમય આપવાનું શરૂ કરી દીધું છે. જાતને અને શોખને સમય આપવાનું શરૂ કરનારાઓમાં કલર્સ ચૅનલના પૉપ્યુલર શો ‘નાગીન - ભાગ્ય કા ઝહરીલા ખેલ’ના લીડ ઍક્ટર વિજયેન્દ્ર કુમેરિયાનો સમાવેશ છે. વિજયેન્દ્ર ઍક્ટિંગ ઉપરાંત સ્કૅચ અને પેઇન્ટિંગમાં પણ ગજબનાક માસ્ટરી ધરાવે છે. શૂટિંગ બંધ થવાના બીજા જ દિવસે વિજયેન્દ્રએ પોતાના બેડરૂમની એક દીવાલ પર પેઇન્ટિંગ શરૂ કર્યું હતું અને ગઈ કાલે એ આખી દીવાલનું પેઇન્ટિંગ પૂરું કર્યું.
વિજયેન્દ્રએ કહ્યું કે ‘પેઇન્ટિંગ અને સ્કૅચિંગ મારી ફેવરિટ હોબી છે, પણ સમય જતાં કામમાં વ્યસ્તતા આવી ગઈ એટલે આ શોખ છૂટી ગયો, પણ હવે મને એ તક મળીછે એટલે મેં નવેસરથી એની શરૂઆત કરી છે. શૂટિંગ બંધ થવાની અનાઉન્સમેન્ટના દિવસે જ હું જઈને કલર અને બ્રશ લઈ આવ્યો અને પછી ફરીથી પેઇન્ટિંગ શરૂ કર્યું. ખરેખર એવું લાગ્યું જાણે હું મારી એ દુનિયામાં પાછો આવી ગયો.’
ADVERTISEMENT
વિજયેન્દ્રએ પોતાના બેડરૂમની દીવાલ પર મહાદેવની પ્રતિકૃતિ બનાવી છે.