Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ચંપકલાલ હવે જેઠાલાલની કેવી વલે કરશે?

ચંપકલાલ હવે જેઠાલાલની કેવી વલે કરશે?

20 November, 2019 11:58 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ચંપકલાલ હવે જેઠાલાલની કેવી વલે કરશે?

શું થશે જેઠાલાલનું?

શું થશે જેઠાલાલનું?


બ ટીવી પર આવતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અત્યારે જે ટ્રૅક ચાલી રહ્યો છે એમાં હવે જેઠાલાલની બરાબરની હાલત ખરાબ થવાની છે. બન્યું છે એવું કે જેઠાલાલના બાપુજી ચંપકલાલનાં જોવાનાં ચશ્માં નથી અને ચંપકલાલ એ પછી પણ બેસી રહેવા રાજી નથી. ચશ્માં વિના પણ ચાલે, એના વિના કામ અટકવું ન જોઈએ એવું માનતા ચંપકલાલ બધી જગ્યાએ અથડાય-કુટાય છે, પણ છતાંયે તેઓ અટકતા નથી એટલે આજ્ઞાંકિત પુત્રની જેમ હવે જેઠાલાલ બાપુજીની આંખ બનવાનું કામ કરે છે અને એ બાપુજી સાથે બધે જવા માટે રાજી થાય છે. આવા સમયે ચંપકલાલની ઓછી દૃષ્ટિ અને જેઠાલાલનું તેમને સતત કહ્યા કરવું એ જબરદસ્ત હાસ્ય રેલાવાનું કામ કરે છે.
ચાર એપિસોડમાં વહેંચાયેલી આ સ્ટોરીમાં ચંપકલાલ ક્યાંય ચશ્માં વિના લાચાર નથી થતા, જ્યારે જેઠાલાલ બાપુજીને કારણે અઢળક લાચારી ભોગવે છે એ વાતને કેન્દ્રમાં રાખવામાં આવી છે. બાપુજી જેઠાલાલની બરાબરની વલે કરે છે અને જેઠાલાલ એ વલે પછી પણ બાપુજી માટે હેરાન થવા તૈયાર રહે છે. આ સ્ટોરીનો ભાવાર્થ એ જ છે કે વડીલોની ઉંમર થાય ત્યારે તેમની બાજુમાં ઊભા રહેવાનો સમય સંતાનોએ કાઢી લેવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2019 11:58 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK